બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / asia cup 2023 has increased the difficulty of team india as team may play 6 odi
Last Updated: 02:02 PM, 20 July 2023
ADVERTISEMENT
Indian Cricket Team, Asia Cup 2023: આતુરતાનો અંત આવ્યો, હવે એશિયા કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ જય શાહે બુધવારે (19 જુલાઈ) ટૂર્નામેન્ટના શેડ્યૂલની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે. જો ભારત ફાઈનલમાં પહોંચે છે તો ટીમે 15 દિવસના ગાળામાં 6 વનડે રમવી પડશે, જે સરળ નહીં હોય.
એશિયા કપ 50 ઓવરના ફોર્મેટમાં રમાવાનો છે, જેમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા સહિત 6 ટીમો ભાગ લેશે. ભારતીય ટીમ ગ્રુપ-Aમાં પાકિસ્તાન અને નેપાળની સાથે હાજર છે. વર્લ્ડ કપ 2023 પહેલા એશિયા કપ ભારતીય ટીમ માટે મુશ્કેલ બની શકે છે કારણ કે મેગા ટૂર્નામેન્ટ પહેલા ટીમને 15 દિવસના ગાળામાં 6 ODI રમવી પડી શકે છે. ઓછા દિવસોમાં વધુ મેચ થવાથી ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાની શક્યતા વધી શકે છે.
ADVERTISEMENT
I am happy to announce the schedule for the highly anticipated Men's ODI #AsiaCup2023, a symbol of unity and togetherness binding diverse nations together! Let's join hands in the celebration of cricketing excellence and cherish the bonds that connect us all. @ACCMedia1 pic.twitter.com/9uPgx6intP
— Jay Shah (@JayShah) July 19, 2023
ADVERTISEMENT
વર્લ્ડ કપ પહેલા ખેલાડીની ઈજા પણ ટીમ ઈન્ડિયા માટે ભારે બોજ બની શકે છે, જેના કારણે વર્લ્ડ કપ હારવાનું જોખમ વધી જશે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન અને નેપાળ સામે બે મેચ રમશે. ગ્રુપ સ્ટેજમાં ક્વોલિફાય થયા બાદ ભારત કોઈપણ નંબર પર રહી શકે છે, પરંતુ તેને A-2 જ કહેવામાં આવશે. જો ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજ બાદ સુપર-4 માટે ક્વોલિફાય થાય છે તો ટીમને સુપર-4માં કુલ 3 મેચ રમવાની રહેશે.
આ પછી જો સુપર-4માં ટીમ ઈન્ડિયા કોઈ રીતે ફાઈનલ ટિકિટ મેળવવામાં સફળ થાય છે તો 15 સપ્ટેમ્બરે ભારતીય ટીમ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમશે. આ રીતે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં ફાઈનલ સહિત 6 ODI રમી શકે છે.
ADVERTISEMENT
The fixtures for #AsiaCup2023 are out! 🙌
— BCCI (@BCCI) July 19, 2023
A look at #TeamIndia's group stage matches 🔽 pic.twitter.com/W0RORs9qfa
ADVERTISEMENT
પહેલા જ ઇજાગ્રસ્ત થયેલા છે આ ખેલાડી
હાલમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઈજાઓથી ઝઝૂમી રહ્યા છે. આમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર હાજર છે. જોકે ત્રણેય ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુમરાહ અને ઐયર એશિયા કપ પહેલા આયર્લેન્ડ સામેની ટી-20 સિરીઝમાં વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં બંને ખેલાડીઓ એશિયા કપનો ભાગ પણ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.