ડ્રગ્સ કેસના આરોપી આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી
NCB એ જામીન અરજીનો વિરોધ કર્યો
NCBએ કહ્યું, આર્યન ખાન સાક્ષીઓને પ્રભાવિત કરી શકે, જામીન ન અપાય
આર્યનખાને કહ્યું મારી કોઈ ડીલ નથી, એનસીબી અને નેતાઓનો મામલો
આર્યન ખાનને જામીન અપાવવા માટે દેશના પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ મોરચો સંભાળ્યો છે. આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે તેમના અસીલ આર્યન ખાને કોઈ ડીલ કરી નથી, આ એનસીબી અને નેતાઓ વચ્ચેનો મામલો છે.
આર્યનખાન સાક્ષીઓને પ્રભાવિત કરી શકે, જામીન ન અપાય-NCB
NCBએ આર્યનખાનની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું કે આર્યન ખાનને જામીન ન આપી શકાય કારણ કે તે બહાર જઈને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.
Drugs on cruise ship case | I will appear for Aryan Khan in his bail matter today in Bombay High Court: Mukul Rohatgi, Former Attorney General of India
NCBએ એક એફિડેવિટ આપીને જણાવ્યું કે એનડીપીએસ એક્ટની જે કલમો હેઠળ કેસ નોંધાયેલો છે તે બિન જામીનપાત્ર છે. એનસીબીએ કહ્યું કે કેટલાક લોકો કેસના સાક્ષીઓને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યાં છે. NCBએ કહ્યું કે આર્યન ખાન ઈન્ટરનેશનલ લિંક્સ છે. તે તપાસને પ્રભાવિત કરી શકે છે.
NCB એ રિયા ચક્રવર્તીની દલીલ કરી
આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કરીને એનસીબીએ પોતાનો જવાબ રજૂ કર્યો છે. તેના જવાબમાં એનસીબીએ રિયા ચક્રવર્તી કેસનો ઉલ્લેખ કર્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એનડીપીએસ એક્ટની કલમો કે જેમાં કેસ નોંધવામાં આવે છે તે બિનજામીનપાત્ર છે. એનસીબીએ તેના જવાબમાં એમ પણ લખ્યું છે કે કેટલાક લોકો આ કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરવા માગે છે. એનસીબીએ કહ્યું છે કે, "આર્યન ખાન આંતરરાષ્ટ્રીય લિંક ધરાવે છે. તે તપાસને પ્રભાવિત કરી શકે છે. સાક્ષી પ્રભાકર સેલનું સોગંદનામું
Former Attorney General of India, Mukul Rohatgi arrives at Bombay High Court. He is appearing for Aryan Khan in his bail matter today in connection with drugs on a cruise ship case. pic.twitter.com/jF4rK9C7PE
આર્યનખાને કહ્યું, હું નિર્દોષ, મને ફસાવાઈ રહ્યો છે
આર્યનખાને બોમ્બે હાઈકોર્ટમાં જણાવ્યું કે મેં કોઈ ડીલ કરી નથી. આ એનસીબી અને નેતાઓ વચ્ચેનો મામલો છે. હું નિર્દોષ છું, મને ફસાવાઈ રહ્યો છે. શપથપત્રમાં ખાને કહ્યું કે જામીન મળશે તો તે દેશ છોડીને નહીં જાય અને કોઈ તપાસ કે પુરાવા સાથે પણ છેડછાડ નહીં કરે.