Arvind Kejriwals statement came out in Gujarats EXIT POLL matter see what he said about the victory
BIG NEWS /
ગુજરાતનાં EXIT POLL મામલે સામે આવ્યું અરવિંદ કેજરીવાલનું નિવેદન, જુઓ જીતને લઈને શું કહ્યું
Team VTV12:14 PM, 06 Dec 22
| Updated: 12:17 PM, 06 Dec 22
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાજધાનીના એક્ઝિટ પોલ પર કહ્યું કે હું દિલ્હીના લોકોને અભિનંદન આપું છું, ગઈકાલે હું એક્ઝિટ પોલના પરિણામો જોઈ રહ્યો હતો, જનતાએ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
એક્ઝિટ પોલ પર અરવિંદ કેજરીવાલનું નિવેદન
દિલ્હીના લોકોને આપ્યા અભિનંદન
કહ્યું- આમ આદમી પાર્ટી પર લોકોએ બતાવ્યા વિશ્વાસ
દિલ્હી એમસીડી ચૂંટણીને લઈને એક વખત ફરી AAP એક્શનમાં જોવા મળી છે. ચૂંટણી બાદ પરિણામની રાહ જોવાઈ રહી છે. પરંતુ એક્ઝિટ પોલના પરિણામ આવી ચુક્યા છે. એવામાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે રાજધાનીના એક્ઝિટ પોલ પર કહ્યું કે હું દિલ્હીના લોકોને અભિનંદન પાઠવું છું કાલે હું એક્ઝિટ પોલના પરિણામ જોઈ રહ્યો હતો જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
પોઝિટિવ પરિણામ
તેની સાથે જ કેજરીવાલે કહ્યું કે આશા રાખવામાં આવી રહી છે કે આવા જ પરિણામો આવે અને કાલ માટે રાહ જોઈ રહ્યા છીએ. પરિણામ પોઝિટિવ છે અને નવી પાર્ટીએ એન્ટ્રી કરી છે ત્યાં જ લોકો કહી રહ્યા છે કે બીજેપી આ લોકોનો ગઢ છે. તો ઓવામાં જો 15થી 20 પરસન્ટેજ વોટ શેર પહેલી વખતમાં કોઈ પાર્ટી લાવે છે તો તે મોટી વાત છે. પરમ દિવસ સુધી રાહ જુઓ.
બીજેપીએ લગાવ્યા ખોટા આરોપ
તેની સાથે જ તેમણે એમ પણ કહ્યું કે સંદેશ સ્પષ્ટ છે કે બીજેપી ખોટા આરોપ લગાવવામાં લાગી છે. કેજરીવાલના મંત્રી બેમાન છે મનીષ સિસોદિયાએ ઘોટાળો કર્યો છે. દિલ્હીની જનતાએ આજે ખૂબ જોરથી બોલ્યું છે કે કેજરીવાલ જી ઈમાનદાર છે કારમ કરે છે. આ પ્રકારના આરોપ પર દિલ્હીની જનતાએ ભરોસો નથી કર્યો. દિલ્હીની જનતા કહી રહી છે કે દારૂ ઘોટાળાની જે સ્ટોરી છે જે BJPએ સંભળાવી હતી તે ખોટી છે.
BJPએ નગર નિગની ચૂંટણીમાં 7-8 મુખ્યમંત્રી લગાવ્યા 17 કેન્દ્રીય મંત્રી લગાવ્યા અને 27 ચેનલો પર દિવસ-રાત ખોટો પ્રચાર કર્યો. આટલા મોટા દેશમાં 10 વર્ષની અંદર એક પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીનો દરરોજ મેળવી રહી છે અને તે પણ એ ગુજરાતથી મેળવી રહી છે જેના વિશે કહેવામાં આવે છે કે તમે હવે નેશનલ પાર્ટી છો. અમારા માટે આ ખૂબ જ મોટી વાત છે કે ગુજરાતના લોકો કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી છે.