વિદેશ મંત્રાલયે પાકિસ્તાન તરફથી ભારતના રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કરવા સહિત અન્ય પગલાને દુનિયા સામે દ્વિપક્ષીય સંબંધોની ચિંતાજનક તસવીર રજૂ કરવાનો પ્રયાસ ગણાવ્યો. સાથે જ મંત્રાલયે કહ્યું છે કે અનુચ્છેદ 370 સાથે જોડાયેલ, હાલનો સંપૂર્ણ ઘટનાક્રમ પૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે.
વિદેશ મંત્રાલયે પોતાના નિવદેનમાં કહ્યું કે ભારતનું સંવિધાન હંમેશાથી સંપ્રભુ મામલો રહ્યો છે અને આગળ પણ રહેશે. આ અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી ક્ષેત્રની ચિંતાજનક તસવીર રજૂ કરવાની ચાલ ક્યારેય સફળ નથી થાય.
મંત્રાલયે કહ્યું કે, ભારત સરકાર ગઇ કાલે પાકિસ્તાન દ્વારા લેવાયેલ પગલાઓની નિંદા કરે છે અને તેને એ સમીક્ષા કરવા કહે છે કે જેથી સામાન્ય રાજદ્વારી સંબંધો જાળવી રાખી શકાય. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમને સમાચાર મળ્યા છે, જેમા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને લઇને એકતરફી નિર્ણય લીધો છે. તેમા અમારા રાજદ્વારી સંબંધોના સ્તરમાં ઘટાડો કરવું સામેલ છે.
મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન તરફથી ઉઠાવવામાં આવેલા આ સંબંધોનો હેતુ સ્પષ્ટરૂપે દુનિયા સામે અમારા દ્વિપક્ષીય સંબંધોને લઇને ચિંતાજનક તસવીર રજૂ કરવાનું છે. પાકિસ્તાને જે કારણ દર્શાવ્યું છે, તે જમીની હકીકત સાથે મેળ નથી ખાતુ.
મંત્રાલયે કહ્યું કે સરકાર અને દેશની સંસદ દ્વારા હાલમાં લેવામાં આવેલ નિર્ણય જમ્મૂ કાશ્મીરમાં વિકાસ માટે અવસર સૃજિત કરવાની પ્રતિબદ્ધતા સાથે જોડાયેલા છે. જેમા પહેલા સંવિધાનની એક અસ્થાયિ જોગવાઇ અવરોધ પેદા કરી રહી હતી. આ નિર્ણય બાદ લેંગિક, સામાજિક, આર્થિક ભેદભાવ દુર કરી શકાશે અને જમ્મૂ કાશ્મીરના તમામ લોકોની આજીવિકાની સંભાવનાઓને યોગ્ય બનાવી શકાશે.