કારમા પરાજય બાદ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય
પ્રભારી રઘુ શર્માએ આપ્યું રાજીનામું
હારની લીધી જવાબદારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય છે. હારની જવાબદારી સ્વીકારતા કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે અને તેમણે તેમનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને મોકલી આપ્યું છે.
પરાજયની જવાબદારી સ્વીકારું છું
રઘુ શર્માએ એવું જણાવ્યું કે ગુજરાતમાં અમારી અપેક્ષા પ્રમાણે રિઝલ્ટ આવ્યું નથી. હું પરાજયની જવાબદારી સ્વીકારતા મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું.
ગુજરાતમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પહેલું રાજીનામું
ગુજરાતમાં કોંગ્રેસના કારમા બાદ પહેલું મોટું રાજીનામું આવ્યું છે. કોંગ્રેસ હાલમાં ફક્ત 17 બેઠકો પર આગળ ચાલી રહી છે.
#GujaratElectionsResults | It is true that AAP & Asaduddin Owaisi were one of the reasons behind the vote cut (of Congress)during the polls. We'll hold a meeting soon to analyze the shortcomings. I hope the next govt will fulfill its promises: J Thakor, Gujarat Congress president pic.twitter.com/9qMfkxpb0y
કોંગ્રેસ 17 બેઠકો પર આગળ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ભાજપ 156 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 17 બેઠકો પર આગળ છે. આપ 5 બેઠકો પર આગળ છે અને અન્ય 4 બેઠકો પર આગળ છે. ચૂંટણી પહેલા જ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિપક્ષી નેતા મોહનસિંહ રાઠવા સહિત અનેક નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં ચાલ્યા ગયા હતા. આ સાથે આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાના કારણે કોંગ્રેસને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે.