પાકિસ્તાનના નનકાના સાહિબમાં શુક્રવારે રોડ પર ભીડે શિખોના સૌથી પવિત્ર ધર્મસ્થળોમાંથી એક નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પથ્થરમારો કર્યો. બપોરથી જ ટોળાએ ગુરૂદ્વારાને ઘેરી લીધું છે. હવે ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે, પરંતુ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. મહત્વનું છે કે, DSGMC અને અકાળી દળ આવતીકાલે પાકિસ્તાની દૂતાવાસની બહાર શાંતિપૂર્ણ વિરોધ કરશે.
પાકિસ્તાનમાં સ્થાનિકોના ટોળાએ નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પથ્થરમારો
શિખ વિરોધી સુત્રોચ્ચાર અને પથ્થમારો કરતા માહોલ તંગ
મોહમ્મદ હસનના પરિવારની આગેવાનીમાં પથ્થરમારો
ઘટનાથી જોડાયેલ વીડિયોમાં એક કટ્ટરપંથી શિખોના નનકાના સાહિબથી ભગાડવા અને આ પવિત્ર શહેરનું નામ બદલાવીને ગુલામ અલી સાહિબથી ભગાડવા અને આ પવિત્ર શહેરનું નામ બદલીને ગુલામ અલી મુસ્તફા કરવાની ધમકી આપતા દેખાઇ રહ્યા છે.
કટ્ટરપંથીઓનું ટોળાએ ગુરૂદ્વારાને ઘેરી રાખ્યો છે. આના કારણે પ્રથમ વખત ગુરૂદ્વારા જન્મ સ્થળ નનકાના સાહિબમાં ભજન-કીર્તન રદ્દ કરવા પડ્યા છે. ગુરૂ ગોવિંદ સિંહજીના ગુરૂપરબના સમયે અખંડ પાઠ શરૂ થવાના હતા. શિખ સમુદાયના લોકો ગુરૂદ્વારાની અંદિર ફંસાયેલ છે. સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે. ડરના કારણે શિખ સમાજના કેટલાક લોકો ઘરોમાં પણ છુપાયા છે.
શિખ યુવતીનું જબરદસ્તી ધર્માંતરણ કરનારા કરી રહ્યા છે ટોળાનું નેતૃત્વ
ટોળાનું નેતૃત્વ ગત વર્ષ નનકાના સાહિની એક શિખ યુવતી જગજીત કૌરનું અપહરણ કરી તેનું જબરદસ્તી ધર્માંતરણ કરી નિકાહ કરવાના આરોપી મોહમ્મદ હસનો પરિવાર કરી રહ્યો છે. તેનો આરોપ છે કે, પોતાની મરજીથી ઇસ્લામ કબૂલવા અને લગ્ન કરનારી યુવતીઓને લઇને શિખ સમુદાય કોઇ કારણ વગર હોબાળો ઉભો કરે છે. જણાવી દઇએ કે ગત વર્ષ જે જગજીત કૌરનું જબરદસ્તી ધર્માંતરણ થયું હતું, તે નનકાના સાહિબ ગુરૂદ્વારાના ગ્રંથીની દીકરી છે.
અકાલી દળે ગુરૂદ્વારા પર હુમલાની નિંદા કરી
અકાલી દળે નનકાના સાહિબ ગુરૂદ્વારા પર ટોળાના હુમલાની નિંદા કરી છે. દિલ્હીના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ ટ્વિટર પર હુમલાનો વીડિયો શેર કરતા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને તાત્કાલિક એક્શન લેવાની માંગ કરી છે.
LIVE Footage from Nankana Sahib where an angry Muslim mob is outside Gurdwara Sahib and raising anti-Sikh slogans
પંજાબના CM કેપ્ટન અમરિંદરસિંહે પણ ટ્વિટ કર્યુ છે. ઈમરાનખાનને ઉદ્દેશીને અમરિંદરસિંહે અપીલ કરી છે. પથ્થરમારા બાદ પણ હિંસાખોરોનું ટોળુ ગુરૂદ્વારાની બહાર. નનકાના સાહિબ ગુરૂદ્વારા પર હુમલા બાદ અમરિંદરે કહ્યું કે, પાકિસ્તાની પ્રધાનમંત્રી આ મામલે તાત્કાલિક દખલગીરી કરે. ગુરૂદ્વારામાં ફસાયેલા શ્રદ્ધાળુઓને સલામત બહાર કાઢો.