રામનવમીની શોભાયાત્રા દરમિયાન આણંદના ખંભાતમાં હિંસા ભડકી હતી, બે જૂથ વચ્ચેના અથડામણમાં એકનું મૃત્યુ થયું
આણંદના ખંભાતમાં હિંસા
શોભાયાત્રામાં પથ્થરમારા બાદ ભડકી હિંસા
અથડામણમાં એકનુ મોત
રામનવમીની ઉજણી પર ગુજરાતમાં હિંસાનો માહોલ જોવા મળ્યો.. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.. જે બાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા.. અને આગજની અને તોડફોડ સાથે ઘર્ષણ સર્જાયું હતું.. જેમાં પોલીસની સાથે અનેક લોકો ઘાયલ થયાં હતાં.. તો હિંસાને રોકવા માટે આખા જિલ્લાની પોલીસને બંને શહેરોમાં ખડકવાની જરૂર પડી છે
ખંભાતમાં બે જૂથ વચ્ચેના અથડામણમાં એકનું મૃત્યુ
આણંદના ખંભાતમાં રામનવમી દરમિયાન નીકળેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં હિંસા ભડકી ઉઠી હતી. જેમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એકનું મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત શખ્સે જીવગુમાવી દેતા સ્થિતિ પર કાબૂ મેળવવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અફવા પર ધ્યાન ન આપો: અજિત રાજીયાન , જિલ્લા પોલીસવડા, આણંદ
આણંદના ખંભાતમાં રામનવમીની શોભા યાત્રા દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થર મારો કરીને શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો છે. અતિ સંવેદનસિલ એવા ખંભાત શહેરમાં રામનવમી પર્વ નિમિત્તે નીકળેલી ભગવાન રામજીની શોભાયાત્રા દરમિયાન શહેરના સક્કર પુરા વિસ્તારમાં શોભા યાત્રા પસાર થઈ રહી હતી તે દરમિયાન કેટલાક તોફાની તત્વોએ શોભાયાત્રા પર પથ્થરમારો કરતા ભાગદોડ થઇ ગઇ હતી. પોલીસ બંદોબસ્ત હોવા છતાં તોફાની તત્વો બેફામ થતા લોકોનો પણ રોષ ભભૂક્યો હતો. જોકે પોલીસ સક્કરપુરા વિસ્તાર માં પરિસ્થિતિ થાળે પાડવા માં વ્યસ્ત હતી એ દરમિયાન શહેર ના ટાવર ચોક તેમજ ચગડોળ ગ્રાઉન્ડ નજીક માં કેટલીક દુકાનો અને લારી ગલ્લા ઓ ને તોફાની તત્વો એ આગ ચંપી કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી જોકે તાબડતોબ પોલીસે તોફાની તત્વોને ડામવા ટીયરગેસના સેલ છોડી પરિસ્થિતિ થાળે પાડી હતી. શહેરના ટાવર ચોક તેમજ ચગડોળ ગ્રાઉન્ડ નજીકમાં 7 થી 8 દુકાનો અને લારી ગલ્લાઓને તોફાની તત્વોએ આગ ચંપી કરી હતી. આ પરિસ્થિતિ વધુ વણસી હતી. આથી પોલીસ અને ફાયરની ટીમે આગને કાબુમાં લીધી હતી. હાલ ખંભાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાએ લોકોને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા અપીલ કરી છે
SRP બટાલિયનને હિંમતનગર બોલાવાઈ
હિંમતનગરમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારનો મામલો વધુ એક સમાચાર મળી રહ્યા છે કે સ્થિતિ પર સપૂર્ણ પણે કાબૂ મેળવવા એસઆરપી બટાલિયનને હિંમતનગર બોલાવાઈ છે. તેમજ અરવલ્લી સહિત મહેસાણા પોલીસ પણ હિંમતનગરમાં ખડકી દેવામાં આવી છે. શહેરમાં વધુ એક આગનો બનાવ બન્યો છે તેમજ હાઇવે વિસ્તારમાં બે દુકાનના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે.
હિમંતનગરમાં સ્થિતિ પર મેળવાયો આંશિક કાબૂ
હિંમતનગરમાં આજે હિંસાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં રામનવમી દરમિયાન શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારે છાપરીયા વિસ્તારમાં પથ્થરમારો થયો હતો. જેમાં ઘણા લોકોને ઈજાઓ પહોંચી હતી. પથ્થરમારાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. જ્યાં ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો જેમાં એસપી વિશાલકુમાર વાઘેલાને ઈજા પહોંચી હતી. ટોળાએ વાહનોમાં આગચંપી કરી હતી સાથે વાહનોમાં તોડફોડ પણ કરી હતી. બેકાબુ બનેલા ટોળાની તોડફોડનો શિકાર પોલીસના વાહનો પણ બન્યા હતા. જેથી પોલીસે જવાબી કાર્યવાહીમાં ટીયર ગેસનો મારો ચલાવ્યો હતો. હીંસક બનેલી ભીડ પર કાબુ મેળવવા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના રેન્જ આઈજી પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. સ્થિતિ પર સંપૂર્ણ કાબુ મેળવવા અરવલ્લી અને મહેસાણા પોલીસને પણ હિંમતનગરમાં ખડકી દેવામાં આવી છે. સાથે SRP બટાલિયનને પણ હિંમતનગરમાં બોલાવવામાં આવી છે. શહેરમાં હિંસા ફેલાતા અનેક વિસ્તારમાં દુકાનોના શટર પડી ગયા હતા જેથી કેટલાક વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ પણ જોવા મળ્યો હતો. સાંજના સમયે હાઈવે પર વધુ એક આગનો બનાવ બન્યો હતો સાથે હાઈવે વિસ્તારમાં બે દુકાનવના કાચ પણ તૂટ્યા હતા. હિંસક સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરંતુ આ હિંસાને પગલે અફવાહોનુ બજાર પણ ગરમ બન્યુ છે ત્યારે VTV નાગરિકોને શાંતિ માટે અપીલ કરે છે.