અભિનેતા અમિતાભ બચ્ચન બીએમસી તરફથી મળેલ એક નોટિસ વિરુદ્ધ હાઈકોર્ટ ગયા હતા. જાણો વિગતવાર
બીએમસી નોટિસ વિરુદ્ધ હાઈકોર્ટ ગયા હતા અમિતાભ બચ્ચન
હાઈકોર્ટ તરફથી મળી રાહત
જાણો શું છે મામલો?
અમિતાભ બચ્ચનને 20 એપ્રિલ 2017ના રોજ બીએમસીએ નોટિસ જાહેર કરી હતી કે બંગલાનો અમુક હિસ્સો રસ્તાની લાઈન પર આવે છે તથા બીએમસી તે હિસ્સાનું અધિગ્રહણ કરવા માંગે છે.
અભિનેતા અમિતાભ બચ્ચન તથા તેમના પરિવારને બોમ્બે હાઈકોર્ટે બુધવારે મોટી રાહત આપી છે. બોમ્બે હાઇકોર્ટે અમિતાભ બચ્ચનને બ્રુહન્મુમ્બઈ મહાનગર પાલિકા સામે પોતાનો પક્ષ રાખવા માટે સમય આપ્યો છે. આ સાથે જ હાઈકોર્ટે બીએમસીને અમિતાભ બચ્ચન વિરુદ્ધ કોઈપણ એક્શન લેવા પર હાલ રોકી છે.
અમિતાભ બચ્ચન તથા તેમના પત્ની જયા બચ્ચને બીએમસીની નોટિસ વિરુદ્ધ હાઈકોર્ટનો સહારો માંગ્યો હતો. અમિતાભ બચ્ચનને 20 એપ્રિલ 2017ના રોજ બીએમસીએ નોટિસ જાહેર કરી હતી કે બંગલાનો અમુક હિસ્સો રસ્તાની લાઈનમાં આવે છે તથા બીએમસી તે હિસ્સાનું અધિગ્રહણ કરવા માંગે છે. આ નોટિસના જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે બીએમસી રસ્તાનીન બીજી તરફથી તેને સરળતાથી પહોળી કરી શકે છે.
હાઈકોર્ટમાં દાખલ યાચિકામાં બચ્ચન પરિવાર તરફથી કહેવામાં આવ્યું કે 28 જાન્યુઆરી 2022 સુધી 4 વર્ષ 9 મહિનામાં બીએમસી દ્વારા નોટિસ આપ્યા બાદ આગળ કોઈ જ કાર્યવાહી થઈ નથી. આવામાં બચ્ચન પરવારે વિચાર્યું કે નોટિસને રદ્દ કરવામાં આવી છે. પરંતુ 28 જાન્યુઆરી 2022ના રોજ બીએમસીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે નોટિસના પ્રસ્તાવોને લાગુ કરવામાં આવશે તથા જલ્દી જ નિર્ધારિત જમીન પર અધિગ્રહણ કરવામાં આવશે.
યાચિકામાં એ પણ કહેવામાં આવ્યું કે બીએમસીએ અમિતાભ બચ્ચનની આસપાસની પ્રોપર્ટીઓના માલિકોને કોઈ નોટિસ જાહેર કરી નથી. આ બીએમસીની કાર્યવાહીમાં અસમાનતા બતાવતા રસ્તાના વિસ્તારને પહોળો કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
બધી જ દલીલો સાંભળ્યા બાદ જસ્ટીસ આરડી ધાનુકા તથા એસએમ મોદકની બેંચે અમિતાભ બચ્ચનને બીએમસી સામે પોતાનો પક્ષ રાખવા માટે બે અઠવાડીયાનો સમય આપ્યો છે. જ્યારે, બીએમસી 6 અઠવાડિયાની અંદર જવાબ પર વિચાર કરશે તથા ત્રણ અઠવાડિયા સુધી કોઈ કાર્યવાહી નહિ કરે.