પૂર્વ રાષ્ટ્રપતિ તથા ખ્યાતનામ વૈજ્ઞાનિક ડૉ. અબ્દુલ કલામની પુણ્યતિથિ પર સમોવારે ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યું કે ડૉ. અબ્દુલ કલામે વિજ્ઞાનથી લઈને રાજનીતિ સુધી તેમણે દરે ક્ષેત્રમાં ભૂસી ન શકાય તેવા નિશાન છોડ્યા છે. અમિત શાહે ટ્વીટ કરી કલામની જ્ઞાનની શોધ આપણા આત્મનિર્ભર ભારત મિશનને હંમેશા પ્રેરિત કરે છે.
ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ અર્પિત કરી
જેમનું જીવન સદા દેશવાસિયોને પ્રેરિક કરતું રહ્યુ
ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા
શાહ ઉપરાંત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કલામને યાદ કરતા તેમને જનતાના રાષ્ટ્રપતિ ગણાવ્યા. જેમનું જીવન સદા દેશવાસિયોને પ્રેરિક કરતું રહ્યું છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ અને દેશને મિસાઈલ મેનને દિલથી શ્રદ્ધાંજલી અર્પિત કરુ છું. ડૉ. કલામ દેશના 11માં રાષ્ટ્રપતિ બન્યા.
Tributes to Dr APJ Abdul Kalam, an epitome of intellect, wisdom and simplicity. A People’s President, who left indelible marks on several fields ranging from science to politics. His relentless quest for knowledge continues to inspire and capture the idea of self-reliant India. pic.twitter.com/YS8p8FjYxE
વૈજ્ઞાનિક તરીકે તેમણે ડીઆરડીઓ અને ઈસરોની સાથે કામ કર્યુ છે. ભારત માટે બૈલિસ્ટિક મિસાઈલ વિકસિત કરવામાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ભારતના સૌથી મહત્વપૂર્ણ પરમાણુ પરિક્ષણ પોખરણ-2માં તેમણે ભૂમિકા નિભાવી હતી. વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમનું યોગદાન માટે તેમને સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.