તાજમહેલના વિવાદ વચ્ચે એલન મસ્કે કર્યુ ટ્વિટ, યુઝર્સ કમેન્ટ કરીને મંદિરોની ખૂબસુરતીનું કરવા લાગ્યા વર્ણન
તાજમહેલના વિવાદ વચ્ચે એલન મસ્કનું ટ્વિટ
9મેના રોજ તાજમહેલને લઇને કર્યુ હતુ ટ્વિટ
યુઝર્સ કરી રહ્યા છે ટ્રોલ
દુનિયાની 7 અજાયબીઓમાંનો એક તાજમહેલ હાલમાં અલગ-અલગ કારણોસર હેડલાઇન્સમાં છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક નેતા તાજમહેલના ઈતિહાસને લઈને કોર્ટમાં પહોંચ્યા છે. દાવો છે કે તાજમહેલનું સત્ય 22 રૂમની અંદર બંધ છે, જો આ રૂમ ખોલવામાં આવે તો અલગ જ સત્ય બહાર આવશે. આ વચ્ચે તાજમહેલ વિશે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે, જે તેણે સોમવારે, 9 મેના રોજ કર્યું હતું.
Here’e magnificent heritage building in 🇮🇳
Built around 1026 by the Chalukyan King Bhima-I the Modhera Sun Temple predates the more famous Konark Sun temple by almost 125 years
That did not result in degrading treatment of artisans that built it.
તાજેતરમાં માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર ખરીદનાર ટેસ્લાના માલિકે 9 મેના રોજ તાજમહેલ વિશે ટ્વિટ કરીને કહ્યું, 'આ અદ્ભુત છે, મેં 2007માં મુલાકાત લીધી હતી અને તાજમહેલ પણ જોયો હતો, જે ખરેખર વિશ્વની અજાયબી છે. .' ઈલોન મસ્કે આ ટ્વીટ એક ફોટોના જવાબમાં કરી હતી, જે આગ્રાના લાલ કિલ્લાની હોવાનું જણાવવામાં આવ્યું હતું. એલોન મસ્કના આ ટ્વીટ પર યૂઝર્સ ધડાધડ કમેન્ટ્સ કરવા લાગ્યા. લોકો તેમના દેશના મંદિરોની સુંદરતા વિશે કહેવા લાગ્યા.
It is amazing. I visited in 2007 and also saw the Taj Mahal, which truly is a wonder of the world.
મહત્વનું છે કે વિશ્વની સૌથી સુંદર ધરોહરોમાંથી એક એવા તાજમહેલના ઈતિહાસને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તાજમહેલમાં શિવ મંદિરનો મુદ્દો ફરી ગરમાયો છે. તે મુજબ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં તાજમહેલના 22 બંધ ઓરડાઓ સાથે જોડાયેલા રહસ્યો ખોલવાની માંગ કરવામાં આવી છે. મોટી વાત એ છે કે તાજમહેલમાં મંદિર હોવાના દાવાને ભાજપના નેતાએ હવા આપી દીધી છે.
ભાજપના નેતાની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "આદરપૂર્વક રજૂ કરવામાં આવે છે કે ઘણા વર્ષોથી એક વિવાદ ચરમસીમા પર છે જે તાજમહેલ અથવા તાજ મહલ અથવા તેજો મહાલય સાથે સંબંધિત છે." કેટલાક હિંદુ જૂથો અને જાણીતા સંતો આ સ્મારકને જૂના શિવ મંદિર તરીકે દાવો કરી રહ્યા છે જેને ઘણા ઇતિહાસકારો અને તથ્યો દ્વારા સમર્થન મળે છે, જોકે ઘણા ઇતિહાસકારો તેને મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા બાંધવામાં આવેલ તાજમહેલ માને છે. કેટલાક લોકો એવું પણ માને છે કે તેજો મહાલય અથવા તાજમહેલ એક જ્યોતિર્લિંગ એટલે કે ઉત્કૃષ્ટ શિવ મંદિરોમાંથી એક હોવાનું જણાય છે.