બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:58 AM, 4 October 2023
ADVERTISEMENT
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક ગઠબંધન સરકારમાં કથિત અસ્વસ્થતા વચ્ચે થઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ સામેલ હતા. અજિત પવાર તેમના કાકા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક શરદ પવારની ઇચ્છા વિરુદ્ધ શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા હતા.
અજિત મંગળવારે મુંબઈમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં હાજરી આપી ન હતી. તેઓ NCPના બે તૃતીયાંશ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને શિંદે-ફડણવીસ સરકારમાં જોડાયા હતા અને કહ્યું હતું કે તેમનો જૂથ વાસ્તવિક NCP છે. શરદ પવારની આગેવાની હેઠળના જૂથે NCP પાર્ટી અને ચૂંટણી ચિહ્ન માટે અજિત પવારના દાવાઓનો વિરોધ કર્યો છે અને ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે.
અજિત પવાર નારાજ?
જ્યારથી શિંદે જૂથ, ભાજપ અને એનસીપીની સરકાર સત્તામાં આવી છે. ત્યારથી કોઈને કોઈ કારણસર સરકારમાં હોબાળો થતો જોવા મળી રહ્યો છે. એનસીપી સત્તામાં આવ્યાને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી મંત્રી પદનો પ્રશ્ન ઉકેલાયો નથી. એ વાત જાણીતી છે કે શિંદે જૂથ સાથે અજિત પવાર જૂથ સતારા, પુણે, રાયગઢના મંત્રી પદ માટે દબાણ કરી રહ્યું છે. એ જ રીતે અજિત પવાર જૂથના કેટલાક ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રી ફડણવીસને મળ્યા અને સંરક્ષણ અંગે ચર્ચા કરી હતી.
ADVERTISEMENT
અજિત પવાર મહાગઠબંધન સરકારથી નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું
અજિત પવાર રાજ્યમાં મહાગઠબંધન સરકારથી નારાજ હોવાની ચર્ચા છે. એવું જોવામાં આવ્યું હતું કે ગણેશોત્સવ દરમિયાન અજિત પવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે ભગવાન ગણેશના દર્શન કરવાનું ટાળ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર બિમારીના કારણે બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.
ADVERTISEMENT
અજિત પવારના જૂથના મંત્રીઓ અને મહત્વપૂર્ણ નેતાઓ વચ્ચે દેવગિરી સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. પરંતુ સુનીલ તટકરેએ કહ્યું કે આ બેઠકમાં અજિત પવાર પણ હાજર ન હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.