બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Amid claims of Ajit Pawar's displeasure, CM and Dept. CM met Amit Shah

રાજકારણ / શું મહારાષ્ટ્રમાં થશે રાજકીય ઉથલપાથલ? અજિત પવારની નારાજગીના દાવા વચ્ચે CM અને ડેપ્યુ. સીએમ મળ્યા અમિત શાહને, જાણો કેમ

Vishal Khamar

Last Updated: 08:58 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજિત પવારે મુંબઈમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં હાજરી આપી ન હતી.  તો બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે રાત્રે ગૃહ પ્રધાન અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

  • મહારાષ્ટ્રમાં ફરી નવા જૂની થવાની શક્યતા
  • અજીત પવારે ગત રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં હાજરી ન આપી
  • એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહ સાથે બેઠક યોજી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક ગઠબંધન સરકારમાં કથિત અસ્વસ્થતા વચ્ચે થઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ સામેલ હતા. અજિત પવાર તેમના કાકા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક શરદ પવારની ઇચ્છા વિરુદ્ધ શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા હતા. 

અજિત મંગળવારે મુંબઈમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં હાજરી આપી ન હતી. તેઓ NCPના બે તૃતીયાંશ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને શિંદે-ફડણવીસ સરકારમાં જોડાયા હતા અને કહ્યું હતું કે તેમનો જૂથ વાસ્તવિક NCP છે. શરદ પવારની આગેવાની હેઠળના જૂથે NCP પાર્ટી અને ચૂંટણી ચિહ્ન માટે અજિત પવારના દાવાઓનો વિરોધ કર્યો છે અને ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે.
અજિત પવાર નારાજ?
જ્યારથી શિંદે જૂથ, ભાજપ અને એનસીપીની સરકાર સત્તામાં આવી છે. ત્યારથી કોઈને કોઈ કારણસર સરકારમાં હોબાળો થતો જોવા મળી રહ્યો છે. એનસીપી સત્તામાં આવ્યાને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી મંત્રી પદનો પ્રશ્ન ઉકેલાયો નથી. એ વાત જાણીતી છે કે શિંદે જૂથ સાથે અજિત પવાર જૂથ સતારા, પુણે, રાયગઢના મંત્રી પદ માટે દબાણ કરી રહ્યું છે. એ જ રીતે અજિત પવાર જૂથના કેટલાક ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રી ફડણવીસને મળ્યા અને સંરક્ષણ અંગે ચર્ચા કરી હતી. 

અજિત પવાર મહાગઠબંધન સરકારથી નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું

અજિત પવાર રાજ્યમાં મહાગઠબંધન સરકારથી નારાજ હોવાની ચર્ચા છે. એવું જોવામાં આવ્યું હતું કે ગણેશોત્સવ દરમિયાન અજિત પવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે ભગવાન ગણેશના દર્શન કરવાનું ટાળ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર બિમારીના કારણે બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.

અજિત પવારના જૂથના મંત્રીઓ અને મહત્વપૂર્ણ નેતાઓ વચ્ચે દેવગિરી સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. પરંતુ સુનીલ તટકરેએ કહ્યું કે આ બેઠકમાં અજિત પવાર પણ હાજર ન હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Pawar Eknath Shinde Maharashtra amit shah અજીત પવાર અમિત શાહ એકનાથ શિંદે મહારાષ્ટ્ર મીટીંગ maharastra politics
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ