કેપ્સિકમ લીલા અને પૌષ્ટિક શાકભાજીમાંથી એક છે, તેમાં સારા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. લાલ,પીળા અને લીલા રંગના આ કેપ્સિકમને બેલ પેપર પણ કહેવાય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
વિટામિન Cથી ભરપૂર કેપ્સિકમમાં કેલેરી જરાય નથી હોતી, તેથી તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. કેપ્સિકમમાં કોલેસ્ટ્રોલ નથી હોતુ. કેપ્સિકમમાં બીટા કેરોટિન્સ હોય છે જે હૃદયની બિમારીથી અને મોતિયાથી બચાવે છે. આજે અમે તમને કેપ્સિકમના ફાયદા વિશે જણાવીશું..
- કેપ્સિકમમાં કેપ્સાઇસિન હોય છે, જેને નિયમિત ખાવાથી શરીરના કોઇ ભાગમાં થઇ રહેલા દુખાવામાં આરામ મળે છે. આર્થારાઇટિસની સમસ્યા પણ દૂર કરવામાં કેપ્સિકમ મદદરૂપ થાય છે.
- કેપ્સિકમમાં ફાયબર હોય છે, જેનાથી કબજિયાતની પ્રોબ્લેમ દૂર થાય છે અને ડાયજેશનમાં સુધારો થાય છે.
- કેપ્સિકમમાં કેલેરી ઓછી હોય છે, જે ફેટ ઘટાડવામાં મદદરૂપ થાય છે. કેપ્સિકમને ખાવાથી શરીરના ટોક્સિન બહાર નીકળે છે અને ડાયજેનસમાં સુધારો આવે છે.
- ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ કેપ્સિકમ મદદરૂપ થાય છે. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી ડાયબિટીસથી બચાવે છે.
- કેપ્સિકમ શરીરમાં રહેલા ટ્રાઇગ્લિસરાઇડ લેવલને ઓછુ કરે છે, જેનાથી કેલેરી બર્ન કરવામાં મદદરૂપ થાય છે.
- કેપ્સિકમ DNAને કોર્સિનોજેન સાથે બાંધતા રોકે છે. આ કેન્સરની કોશિકાને ખત્મ કરવામાં મદદરૂપ થાય છે.
- કેપ્સિકમ ખાવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રહે છે. આ સાથે જ કેપ્સિકમ શ્વાસ સંબંધિત સમસ્યા જેમ કે, ફેફસાના ઇન્ફેક્શન અને અસ્થમા વગેરેથી બચાવે છે.
- શરીરમાં ફ્રી રેડિકલ્સ હોવાથી લોહીની નળીઓને નુકસાન પહોંચે છે. કેપ્સિકમમાં વિટામિન C હોય છે, જે હાર્ટ એટેક, ઓસ્ટિયોપોસિસ, અસ્થમ અને મોતિયાબંધીથી બચાવે છે.