નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર હાવી થઈ છે. વિપક્ષની તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કાયદો સાંપ્રદાયિક છે, તેને કેન્દ્ર સરકાર પાછો લે.
નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિપક્ષ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે
સાંપ્રદાયિક કાયદો છે, કેન્દ્ર સરકાર તેને પાછો લેઃ વિપક્ષ
મુલાકાત સાંજે 4.30 વાગ્યે યોજાશે
નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ સંદર્ભે આજે દરેક વિપક્ષી દળ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત સાંજે 4.30 વાગ્યે યોજાશે. આ બેઠકમાં અનેક વિપક્ષી દળના નેતાઓ અને પ્રમુખ નેતાઓ પણ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા કાયદાને લઈને દેશના અનેક ભાગમાં હિંસક પ્રદર્શન જોવા મળી રહ્યા છે. આ સમયે સરકારી અને પ્રાઈવેટ સંપત્તિને પણ નુકસાન કરવામાં આવી રહ્યું છે. દેશના અનેક ભાગમાં લોકો સડક પર ઉતરીને કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
શું કહે છે કાયદો?
નાગરિકતા સંશોધન કાયદાને લોકસભા અને રાજ્યસભામાં પસાર કરાયા બાદ ગુવાહાટીની સાથે આસામમાં પણ હિંસક પ્રદર્શનો યોજાયા. 31 ડિસેમ્બર 2014 પહેલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુઓ, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ સમુદાયને અવૈધ અપ્રવાસી માનવામાં આવશે નહીં અને તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.