એર વાઇસ ચીફ એર માર્શલ આરકેએસ ભદોરિયા વાયુસેનાના નવા અધ્યક્ષ હશે. રક્ષા મંત્રાલયના મુખ્ય પ્રવક્તા મુજબ, સરકારે નવા વાયુસેના અધ્યક્ષ રૂપે આરકેએસ ભદોરિયાના નામ પર મહોર લગાવી છે. એમણે એર ચીફ માર્શલ બીએસ ધનોઆની જગ્યા લેશે. બીએસ ધનોઆ 30 સપ્ટેમ્બરે ચીફ ઓફ એર સ્ટાફના પદ પર રિટાયર થઇ રહ્યા છે.
ચીફ એર માર્શલ આરકેએસ ભદોરિયા વાયુસેનાના નવા અધ્યક્ષ
રક્ષા મંત્રાલયે નવા વાયુસેના અધ્યક્ષ રૂપે આરકેએસ ભદોરિયાના નામ પર મહોર લગાવી
આરકેએસ ભદોરિયા ભારતીય વાયુસેનાના સૌથી શ્રેષ્ઠ પાયલટોમાંથી એક
એર વાઇસ ચીફ એર માર્શલ આરકેએસ ભદોરિયા ભારતીય વાયુસેનાના સૌથી શ્રેષ્ઠ પાયલટોમાંથી એક છે. એમણે અત્યાર સુધી 27થી વધારે પ્રકારના લડાકૂ અને પરિવહન વિમાનોને ઉડાવ્યા છે. તેમા રાફેલ પણ સામેલ છે. તે રાફેલ લડાકૂ વિમાન ખરીદીના ચેરમેન રહ્યા છે.
રાફેલ વિમાન ઉડાવ્યા બાદ એમણે કહ્યું કે, રાફેલ લડાકૂ વિમાન દુનિયાના સૌથી શ્રેષ્ઠ વિમાન છે. તેના આવવાથી ભારતીય વાયુ સેનાની તાકાત ઘણી વધી જશે. સુખોઇ અને રાફેલની જોડીની તાકાત આગળ પાકિસ્તાન અને ચીન હવે ભારત વિરુદ્ધ કોઇ નાપાક હરકત નહીં કરી શકે.
એર વાઇસ ચીફ એર માર્શલ ભદોરિયા પ્રાયોગિક ટેસ્ટ પાયલટ હોવાની સાથે કેટ 'એ' કેટેગરીના ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને પાયલટ એટેક ઇન્સ્ટ્રક્ટર પણ છે. એમને વાયુ સેના પદક, અતિ વિશિષ્ટ સેવા પદક અને પરમ વિશિષ્ટ સેવા પદકથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.