વિવાદિત નિવેદનો માટે ચર્ચિત અકબરુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત ઝેર ઓક્યું હતું. તો શિવસેનાએ ઔરંગજેબની કબર પર ફૂલ ચઢાવવા માટે અકબરુદ્દીન ઓવૈસી પર પ્રહાર કર્યા હતા.
શ્વાનનું કામ ભસવાનું છે તેમને ભસવા દો... : અકબરુદ્દીન ઔવૈસી
અકબરુદ્દીન ઓવૈસીએ મસ્જિદો પર લાઉડસ્પીકર લગાવવાનો વિરોધ કરી રહેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પર આડકતરી રીતે આકરા પ્રહાર કર્યા છે. અકબરુદ્દીન એક સભાને સંબોધિત કરતા કહ્યું કે, શ્વાનનું કામ ભસવાનું છે તેમને ભસવા દો...
અકબરુદ્દીને કહ્યું કે, હું યુવાનોને કહીશ, જે થાય છે તે થવા દો... હું તો કહીશ કે જે પણ શ્વાન ગમે તે ભસે છે, તેને ભસવા દો... ગમે તે બ્રીડનું ગમે તેવું ભસે છે, ભસવા દો. શ્વાનનું કામ ભસવાનું છે. સિંહોનું કામ મૌન રહેવાનું છે. બસ તેને ભસવા દો... બોલવાની જરૂર નથી. સમય અને સંજોગોની તાકીદને સમજો... તેમની જાળમાં ફસાવાનું નથી. તેઓ જાળ પાથરી રહ્યા છે, તમને ફસાવવા માંગે છે. તમે ફસાઈ ન જતા... ચૂપ રહો... હસો અને ચાલ્યા જાઓ.
#WATCH | "Let the dogs bark... lions move on by ignoring them...don't fall into their trap... whatever they say, just smile and keep doing your work," said AIMIM leader Akbaruddin Owaisi, in Aurangabad, Maharashtra (12.05) pic.twitter.com/2znmyUuP66
અકબરુદ્દીન ઓવૈસીએ ઔરંગાબાદમાં એક આયોજિત જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, જેમ હું હસીને જઇ રહ્યો છું, ચાલ્યા જાઓ. તેમણે લોકોને પૂછ્યું કે શું ડરી ગયા છો... શું પરેશાન છો...
ત્યારે શિવસેનાએ ઔરંગજેબની કબર પર ફૂલ ચઢાવવા માટે અકબરુદ્દીન ઓવૈસી પર પ્રહાર કર્યા. શિવસેનાએ શુક્રવારે કહ્યું કે, AIMIM નેતા અકબરુદ્દીન ઓવૈસીના ઔરંગાબાદ જિલ્લાના ખુલ્દાબાદમાં ઔરંગઝેબની કબરની મુલાકાતનો ઉદ્દેશ્ય રાજ્યનો માહોલ ખરાબ કરવાનો હતો. 17મી સદીના મુગલ બાદશાહના અનુયાયિઓનો પણ એજ હાલ થશે જે તેમની સાથે થયો હતો. શિવસેના સાંસદ અને પાર્ટી પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, ઔરંગઝેબે 25 વર્ષ સુધી મરાઠાઓ સાથે લડાઈ લડી.