એમ્સ ડિરેક્ટર અને દેશના ટોચના ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે પેરાસિટોમોલ 650 દિવસમાં 4 વાર લેવા છતાં પણ તાવ ન ઉતરે તો ડોક્ટરનો સંર્પક સાધવો જોઈએ.
ગુલેરિયાએ કોરોના દર્દીઓની સારવાર,હોમ આઈસોલેશન અંગે આપ્યા જવાબ
પેરાસિટોમોલ 650 દિવસમાં 4 વાર લેવા છતાં પણ તાવ ન ઉતરે તો ડોક્ટરનો સંર્પક સાધો
5 દિવસ કરતા વધારે ખાંસી હોય તો દર્દીઓ ઈનહેલર લઈ શકે છે.
તાવ,શરદી,ખાંસી... માં કઈ દવા લેવી
ડો.ગુલેરિયાએ જણાવ્યું કે તાવ, શરદી,ખાંસી જેવા લક્ષણો પણ કોરોનાના છે તેથી તાવ માટે પેરાસિટોમોલ, શરદી માટે એન્ટી એલર્જિક દવા લઈ શકાય. ખાંસી માટે કફ સિરપ પણ લઈ શકાય છે. સાથે મીઠાના પાણીના કોગળા કરવાથી પણ ઘણા દર્દીઓને આરામ મળતો હોય છે.
જો તાવ ન ઉતરતો હોય તો શું કરવું
ઘણા એવા પણ દર્દીઓ હોય છે જેઓ કહે છે કે પેરોસિટોમોલ લીધા પછી પણ તેમનો તાવ ઉતરતો નથી. તેમને 101-102 ડિગ્રી તાવ રહેતો હોય છે. પેરાસિટોમોલ 650 દિવસમાં 4 વાર લેવા છતાં પણ તાવ ન ઉતરે તો ડોક્ટરનો સંર્પક સાધવો જોઈએ.
આઈવરમેક્ટિન અંગે શું બોલ્યા ગુલેરિયા
આઈવરમેક્ટિન દવા દરરોજ લઈ શકાય છે. 3-5 દિવસ સુધી ખાલી પેટે લઈ શકાય છે.
ઈનહેલરે કેવી રીતે લેવું
જે દર્દીઓને તાવ અથવા ખાંસી 5 દિવસ કરતા વધારે હોય તેઓ ઈનહેલર લઈ શકે છે. બુડેસોનાઈડની 800 માઈક્રોગ્રામ દિવસમાં 2 વાર 5 થી 7 દિવસ સુધી ઈનહેલર દ્વારા લઈ શકાય છે. આ દવા ફેફસામાં જઈને આરામ આપે છે.
કેવી રીતે જાણવું કે મેડિકલ ઓક્સિજનની જરુર છે
જો તમને લાગતું હોય કે તમારુ ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું છે, કે 90 ની આજુબાજુ આવી રહ્યું છે અથવા તો તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તમારે તત્કાળ ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ. આ ઘણું જરુરી છે જેથી કરીને તમને સમયસર સારવાર મળી શકે અને દાખલ થવાની જરુર હોય તો દાખલ પણ થઈ શકાય.
10 દિવસ બાદ હોમ આઈસોલેશનમાંથી બહાર આવી શકાય છે
કોરોનાના કેસોની વચ્ચે દર્દીઓમાં ઘણા પ્રકારની મૂંઝવણ પ્રવર્તી રહી છે. સૌથી મોટી દુવિધા તો હોમ આઈસોલેશનની હોય છે. દર્દીઓના મનમા સવાલ ઘુમરાતો હોય છે કે ક્યાં સુધી હોમ આઈસોલેશનમાં એકલા રહેવું. હવે દેશના ટોચના ડોક્ટરે આ સવાલનો જવાબ આપ્યો છે.ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે હોમ આઈસોલેશનનો સમય પૂરો થયા બાદ ફરી વાર કોરોના ટેસ્ટ કરાવવાની કોઈ જરુર રહેતી નથી. તેમણે કહ્યું કે એક સારા ડોક્ટર દ્વારા જ દર્દીઓને રેમડેસિવિર આપવાનો નિર્ણય લેવાવો જોઈએ અને તેને હોસ્પિટલમાં લગાડવું જોઈએ.
નિયમોનું પાલન જરૂરી
ડો. ગુલેરિયા કહે છે કે અત્યારે જે રીતે મહામારી ફેલાઈ રહી છે તે રીતે કોરોનાથી બચવા નિયમોનું પાલન જરૂરી છે. જ્યારે વધુ જરૂરી ન હોય તો યાત્રા કરવાથી બચવું યોગ્ય છે. ડો. ગુલેરિયાનું કહેવું છે કે કોરોનાની વેક્સીન સુરક્ષિત છે અને તે 8-10 મહિના સુધી કોરોના સંક્રમણથી તમને સુરક્ષિત રાખી શકે છે. આ પછી તેની અસર રહેતી નથી. તેઓએ એમ પણ કહ્યું છે કે ભારતમાં વેક્સીનનો કોઈ દુષ્પ્રભાવ જોવા મળ્યો નથી.