બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Malay
Last Updated: 04:07 PM, 18 January 2023
અમદાવાદને પૂર્વ-પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચતી સાબરમતી નદી એક તરફ તેના જળથી લોકોને જીવન પૂરું પાડી રહી છે, બીજી તરફ તેના સોહામણા રિવરફ્રન્ટના વોક-વે લોકો માટે આનંદ-પ્રમોદનાં સ્થળ બનવાની સાથે કમનસીબે સ્યુસાઈડ પોઈન્ટ પણ થયા છે. અનેક લોકો જીવનથી થાકી-હારીને નદીનાં વહેતાં નીરમાં પડતું મૂકી મોતને વહાલું કરી રહ્યા છે, જોકે આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે સાબરમતીમાં ઝંપલાવનારા લોકોમાં કોમળ હૃદય ધરાવતી સ્ત્રીઓ કરતાં લોખંડી મનોબળ રાખતા પુરુષોની સંખ્યા ચાર ગણી વધુ છે. છેલ્લા બે વર્ષમાં 60 સ્ત્રીઓ સામે 249 પુરુષોએ આપઘાત કર્યો છે. પુરુષો ભલે કઠણ કાળજાના કહેવાતા હોય, પરંતુ તેઓ મનની વાત મનમાં રાખતા હોઈ તેમનામાં ડિપ્રેશન વધતાં આપઘાતના કિસ્સાનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં ઘણું ઊંચું છે.
20 વર્ષીય યુવકે અટલબ્રિજ પરથી કૂદીને ટૂંકાવ્યું જીવન
ગઈકાલે અટલબ્રિજ પરથી પડતું મૂકીને પાલનપુરના 20 વર્ષીય આશાસ્પદ યુવકે આત્મહત્યા કરતાં સમગ્ર અમદાવાદમાં અરેરાટી મચી ગઈ છે. શહેરના આઈકોનિક બ્રિજ ગણાતા અટલબ્રિજ પરથી નદીમાં ઝંપલાવીને આપઘાત કરવાનો આ પ્રથમ બનાવ બન્યો હોઈ મ્યુનિ. તંત્ર પણ સ્તબ્ધ બન્યું છે. 20 વર્ષીય પારિતોષ મોદી તબીબી અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યો હતો. નદીમાંથી બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે તેના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.
બે વર્ષમાં રેસ્ક્યૂ માટે 388 કોલ મળ્યા
સાબરમતી નદીમાં એક અથવા બીજા કારણસર છેલ્લા બે વર્ષમાં કુલ 309 લોકોએ આપઘાત કર્યો હોવાનું ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમના ઈન્ચાર્જ ભરત માંગેલા કહે છે. વર્ષ 2021માં તંત્રને રેસ્ક્યૂના કુલ 179 કોલ મળ્યા હતા, જે પૈકી 132 મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વર્ષ 2021માં 104 પુરુષ અને 26 સ્ત્રીઓએ નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું, જ્યારે નદીમાં એક વર્ષના બાળક સહિત 25 પુરુષ અને નવ વર્ષની બાળકી સહિત 21 મહિલાને રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવવામાં આવ્યાં હતાં. જ્યારે વર્ષ 2022માં ફાયર બ્રિગેડને રેસ્ક્યૂના કુલ 209 કોલ મળ્યા હતા. રેસ્ક્યૂ ટીમ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન નદીમાંથી 169 મૃતદેહ બહાર કઢાયા હતા, જે પૈકી 145 પુરુષ અને 34 મહિલા હતી. તંત્ર દ્વારા 15 પુરુષ અને 14 મહિલાને બચાવી લેવાયાં હતાં.
સાબરમતી નદી સ્યુસાઈડ પોઇન્ટ બની
અગાઉ જે તે વ્યક્તિને તેના જીવનના તમામ નાના-મોટા પ્રશ્નમાં કુટુંબનો સધિયારો મળતો હતો. કૌટુંબિક પ્રેમના તાણાવાણાના કારણે કાકા-મામા પણ પરિવારની વ્યક્તિની ઉદાસીનતાને પારખી જઈને તેને દૂર કરતા હતા, જોકે આજના મોડર્ન જમાનામાં યુવક-યુવતીઓ ટેક્નોસેવી બન્યાં છે, પરંતુ કુટુંબ પરિવારથી વિમુખ બન્યાં હોઈ પોતાની મુશ્કેલીઓ કોઈ આગળ ઠાલવી શક્તાં નથી, તેમાં પણ પુરુષો અંદરોઅંદર મુંઝાઇ જઈ માનસિક રીતે પડી ભાંગે છે. સોશિયલ મીડિયા પર વહેતા થતા નદીમાં ઝંપલાવી આપઘાત કરવાના વીડિયો જોઈ હતોત્સાહી થયેલાં પુરુષ કે સ્ત્રી તેમ કરવા માટે પ્રેરાય છે, જેના કારણે સાબરમતી નદી સ્યુસાઈડ પોઇન્ટ બની છે.
સાબરમતી નદીમાં પડીને થતા આપઘાતના કિસ્સાઓમાં પ્રેમ પ્રકરણમાં મળેલી નિષ્ફળતા, લગ્ન બાહ્ય સંબંધ, આર્થિક ભીંસ, બેકારી, અસાધ્ય બીમારી, એકલવાયું જીવન વગેરે કારણો મુખ્યત્વે જવાબદાર મનાય છે. સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે યુવા વર્ગ માટે લવ પોઈન્ટ બની ગયો છે. પ્રેમી યુગલોની અવાંછનીય હરકતોથી પરિવાર સાથે આવનારાઓને ઘણી વાર છોભીલા પણ બનવું પડે છે. કેટલાક વાર પ્રેમીઓ વચ્ચે નાની-નાની બાબતોને લઈ આપસી તકરાર થાય છે, તેમાંય લગ્નની હા-નાની બાબત જો ઉગ્ર બને તો ક્ષણિક આવેશમાં આવીને યુવા હૃદય નદીમાં ભૂસકો મારે છે. ઘણા લોકો વર્ષોજૂની ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર, લિવર, ઘૂંટણની સમસ્યા જેવા હઠીલા રોગની પીડાતા હોઈ દવા પાછળ ખાસ્સો ખર્ચ કરવા છતાં છુટકારો ન મળતાં નદીમાં પડતું મૂકે છે. કેટલીક વાર પરીક્ષાના ડરના કારણે શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપઘાત કરી લેતા હોય છે. ઘણી વાર પરીક્ષામાં નાપાસ થઈ નિરાશ થયેલાઓ પણ સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પર જઈ નદીમાં કૂદકો મારે છે. આર્થિક સંકડામણના કારણે દેવાનો બોજો વધી જવાથી લેણિયાતના ત્રાસથી બચવા માટે પણ નદીમાં છલાંગ લગાવી મોતને ભેટનારા લોકોના કિસ્સા પણ વધ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army