આયશાની આત્મહત્યા બાદ દરરોજ નવા-નવા વળાંક સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ વધુ એક મોટો ખુલાસો થયો છે.
આયેશા આત્મહત્યા કેસમાં નવો વળાંક
આયેશાના સંબંધી એવા યુવકનું પણ નામ ખુલ્યું
આરીફ આયેશાના ચરિત્ર ઉપર કરતો હતો શંકા
આયેશા આત્મહત્યા કેસમાં એક યુવકનું નામ પણ ખુલ્યું છે. પ્રાપ્ત થયેલી પ્રાથમિક જાણકારી પ્રમાણે, જે યુવકનું નામ સામે આવ્યું તે આયેશાનો સંબંધી છે. જેને લઈને આયશાના ચારિત્ર્ય પર પતિ આરીફ શંકા કરી રહ્યો હતો અને ત્રાસ પણ આપી રહ્યો હતો.
આયશાના બાળક પર પણ પતિ આરીફે ઉઠાવ્યા સવાલ
તો બાળકને લઈને પણ આયેશાના ચરિત્ર ઉપર આરીફે આક્ષેપ કર્યા હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વીડિયો બનાવી આયશાએ કર્યો આપઘાત
અમદાવાદની આયશા નામની મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કરતા પહેલા રિવરફ્રન્ટ પર હસ્તા હસ્તા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહિલા પોતાના પતિ સાથેના અણગમા વિશે અને હું ખુશ છું અલ્લાહ પાસે જઈ રહી છું, તેવુ કહેતી નજરે ચડે છે. બાદમાં મહિલાએ પોતાનો આ અંતિમ વીડિયો પોતાના પતિને મોકલ્યો હતો. તો મહિલાએ આત્મહત્યા પહેલા પોતાના માતા-પિતા સાથે પણ ફોનમાં વાતચીત કરી હતી. ત્યારબાદ હવે પોલીસે દુષ્પ્રેરણાના આરોપમાં પતિ અને સાસરિયાની શોધખોળ હાથ ધરી છે. તેવામાં હવે આઇશાના પરિવારજનો અને વકીલ દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.
પિતાએ યોજી હતી પ્રેસ કોન્ફરન્સ
આઇશાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાસરિયાએ 3 દિવસ સુધી ભૂખી રાખી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે દહેજને લઇને માનસિક ત્રાસ આપવા અને બીજી છોકરી સાથે અનૈતિક સંબંધોના કારણે આઇશાએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આરીફ ખાનને ફાંસી આપવાની સતત માંગ કરવામા આવી રહી છે. આરીફ અને તેના માતા સાયરાબાનુ અને પિતા બાબુખાનના આ ઘટનાને લઈને પોલીસની એક ટીમ રાજેસ્થાન પહોચીને તપાસ કરતા આખો પરિવાર ફરાર થઈ ગયો છે. ત્યારે આયશાના પિતા અને વકીલે પોલીસની કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યો છે.
'પૈસા નથી જોઈતા, બીજી કોઈ આઇશા મરી ન જાય તેવો ન્યાય આપો'
આઇશાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીની સાસુ છે તે મારી બહેનની નણંદ છે. તેમને માઇન્સ ફેક્ટરીને ધંધો છે. તેમના લવ મેરેજ નથી સગામાં જ છે. મારી દીકરીને ત્રાસ આપતા હોવાથી અમે તેને અમદાવાદ લઇને આવ્યા હતા. તેનો પતિ પછી લેવા આવ્યો જ નહીં. આઇશાને પતિ અને સાસરિયા પક્ષે ત્રાસ જ આપ્યો છે. અમારે પૈસા નથી જોતા ન્યાય જોઇએ છે, આરીફને સજા અપાવો જેથી આવી બીજી કોઇ આઇશા મરી ન જાય. આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે એટલે ઝડપી ન્યાય મળી શકે
'આઇશાના આપઘાતનું મુખ્ય કારણ દહેજ અને પતિના બીજી છોકરી સાથે અનૈતિક સંબંધ'
પરિવારજનોએ જણાવ્યું કે, આઇશાના આપઘાતનું મુખ્ય કારણ દહેજ અને આરીફના બીજી છોકરી સાથે અનૈતિક સંબંધ છે. આઇશાની પાસે દહેજની માંગણી કરવા માટે તેમના પરિવારજનો સપોર્ટ કરતા હતા. આરિફ આઇશાને વારંવાર ટોર્ચર અને પૈસાની ડિમાન્ડ કરવો હતો. આઇશાનો કોઇ સપોર્ટ નહોતું કરતું.
'આરીફ ખાનની ગર્લફ્રેન્ડ પણ હતી, આઇશાને રાખવા નહોતો માગતો'
આઇશાના પરિવારજનોએ કહ્યું કે, આરિફખાનને આઇશા સાથે નહીં પૈસા સાથે લેવા દેવા હતા. દહેજ અને અફેરના કારણે આ ઘટના બની છે. આરીફને માત્ર પૈસા જ જોઇએ છે. આરીફ ખાનની ગર્લફ્રેન્ડ પણ છે. આરીફ પત્ની(આઇશા)ની સામે જ ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો હતો. આરીફને આઇશાને રાખવા જ નહોતો માગતો. આઇશાને કહેતો હતો કે તુ છુટી થઇ જા એટલે બીજા લગ્ન કરી શકુ. પછી મને વીડિયો મોકલજે એટલે હું આઝાદ થઇ જાવ.