અમદાવાદના ઘાટલોડિયાના ઓર્થોપેડિક તબીબ હિતેન્દ્ર પટેલની પત્નીએ આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસને મૃતકની વધુ એક સ્યૂસાઈડ નોટ મળી આવી છે. પોલીસને 10 પાનાની સ્યૂસાઈડ નોટ મળી આવી.
આ સ્યૂસાઈડ નોટમાં પતિ, સાસુ, સસરા અને નણંદ પર માનસિક ત્રાસ આપવાનો ઉલ્લેખ કરાયો. પતિ નશો કરીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતા હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે હવે પોલીસે સાસુ સુભદ્રાબેન, સસરા મનુભાઈ, નણંદ દીપુ પટેલ સામે પણ ફરિયાદ કરી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં ઘરેલુ હિંસા, દુષ્પ્રેરણા, સુષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ ઉમેરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો
લગ્નની લાલચ આપીને ઘરમાં રાખ્યા બાદ શારીરિક સંબંધ બનાવ્યા હતા. હિતેન્દ્રએ તેની ઇચ્છા પૂરી કરવા મારી સાથે લગ્નનું નાટક કર્યું હતું. ઈચ્છા પૂરી થતાં મને કાઢી મૂકી, મારા મરવાનું કારણ હિતેન્દ્ર છે. આ શબ્દો ઓથોપેડીક સર્જન હિતેન્દ્ર પટેલની પત્ની છે. જેણે પોતાના શરીરના ડાબા પગના સાથળ પર પેનથી સ્યુસાઈડ નોટ લખી હતી. 9 ફેબ્રુઆરીના રોજ ઘાટલોડિયામાં રહેતા ઓર્થોપેડિક સર્જન હિતેન્દ્ર પટેલની પત્નીએ ઘરના આગણામાં જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આપઘાત પહેલાં લખેલી સ્યુસાઈડ નોટમાં મોતનો જવાબદાર હિતેન્દ્ર લખ્યું હતું. કારણ કે, છ મહિનાના લગ્ન જીવનમા પતિ હિતેન્દ્રએ 3 મહિના બાદ તેના પીયર મોકલી દીધી હતી. જેથી પતિએ શારીરિક સંબંધ બાંધવા તેની સાથે લગ્નનું નાટક કર્યું હોવાનું સુઈસાઈડ નોટમાં મૃતકે લખ્યું હતું. ઘાટલોડિયા પોલીસે સુઈસાઈડ નોટના આધારે ડૉકટર હિતેન્દ્ર પટેલ અને તેના માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.