કૌભાડમાં ફસાયેલી કંપની IL&FSને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ સોંપાયો છે. ત્યારે આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવી રહ્યું છે. બીજી તરફ હવે આ પ્રોજેક્ટ 11 હજાર કરોડમાં પૂર્ણ નહીં થાય. જેને લઇને 2 હજાર કરોડ વધુ ફાળવવામાં આવ્યા છે. સાથે આ વર્ષ 2020 નહીં વર્ષ 2022 સુધી લંબાવવામાં આવ્યો.
અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-1ના ખર્ચમાં રૂ.2 હજાર કરોડનો વધારો
હવે ફેઝ-1ની કામગીરી વર્ષ 2022માં પુરો કરવાનો ટાર્ગેટ
ફેઝ-1માં મેટ્રોના 28 સ્ટેશનો બનાવવાના બાકી
મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-1ના ખર્ચમાં રૂપિયા 2 હજાર કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ફેઝ-1 પૂર્ણ કરવાની કામગીરીમાં વિલંબ થતા પ્રોજેક્ટ ખર્ચમાં વધારો કરાયો છે. 2 હજાર કરોડનો વધારો કરાતા પ્રોજેક્ટનો ખર્ચ રૂપિયા 11 હજાર કરોડથી વધી રૂપિયા 13 હજાર કરોડ થયો છે.
ફેઝ-1માં મેટ્રોના 28 સ્ટેશનો બનાવવાના બાકી છે. અત્યાર સુધી 24 મેટ્રો સ્ટેશન બનાવાયા છે. જ્યારે 2 શરૂ કરવામાં આવ્યા. રૂટ એલાઈનમેન્ટ બદલાવાને કારણે પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થયો. જે ખર્ચ 11 હજાર કરોડથી વધારીને 13 હજાર કરોડ કરવામાં આવ્યો છે.
જાન્યુઆરી 2020 સુધીમાં મેટ્રો ફેઝ-1 પૂર્ણ કરવાનો ટાર્ગેટ હતો. પરંતુ કામગીરીમાં વિલંબ થતા ટાર્ગેટ લંબાવાયો. હવે ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરવા માટે વર્ષ 2022 સુધી ટાર્ગેટ લંબાવવામાં આવ્યો.
રૂપિયા 1300 કરોડનાં કૌભાંડમાં ફસાયેલી IL&FS કંપનીને ફરીથી અમદાવાદનો મેટ્રોરેલ પ્રોજેક્ટ સોંપાયો છે. આ પ્રોજેક્ટ 8 મહીના બાદ પુનઃજીવિત કરાયો હોવાથી મોટા ભ્રષ્ટાચારની ગંધ સેવાઇ રહી છે. કેન્દ્ર સરકારે 2018માં IL&FS પરનાં 91,000 કરોડનાં બેંક દેવાંને કારણે આર્થિક અસ્થિરતા મુદ્દે શક્યતા સેવી હતી.
ફડચાનાં વિવાદો, નાણાંકીય ગેરરીતિ અને અનિયમિતતામાં ફસાયેલી કંપની IL&FSને આખરે 8 મહિના બાદ ફરી વાર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ (metro rail project) ની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) અને એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (IECCL)એ રૂ.382 કરોડનાં કોન્ટ્રાક્ટને પુનઃજીવિત કરવાને પરિણામે IL&FS મેટ્રો રેલનાં સેક્શનની કામગીરી હાથ ધરશે.