કોરોનાનો કહેર કોઈનેય મૂકતો નથી. અમદાવાદમાં મણિનગરમાં સ્વામીનારાયણ ગાધી સંસ્થાનમાં 11 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. સંતોને કોરોનાને કારણે મંદિર હાલ પુરતુ બંધ કરી દેવામાં આવ્યુ છે અન જે જે તેમને સંપર્કમાં આવ્યા હતા તે તમામને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં સંતોને કોરોના થયો છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સંતો સંક્રમિત થયા છે. તમામ 11 સંતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અને હાલ તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે. તો અન્ય સંતોને મંદિરમાં જ ક્વોરન્ટાઇન કરાયા છે. 11 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવા આવ્યા બાદ મંદિરના ગેટ સહિત આખા મંદિરને સેનિટાઇઝ કવરામાં આવ્યું હતું. જે બાદમાં મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિરને ફરીથી ખોલવા માટે 15ની જુલાઇ બાદ કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.
કોરોના વિસ્ફોટ
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં વધુ 620 કેસ નોંધાયા છે અને 20 દર્દીઓનાં મૃત્યુ થયા છે. જ્યારે એક જ દિવસમાં 422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એક દિવસમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 183, અમદાવાદમાં 182, વડોદરામાં 50 વલસાડમાં 20 અને જામનગરમાં 15 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત આણંદમાં 14, ગાંધીનગરમાં 13, પાટણમાં 11, કચ્છમાં 9 , ભરૂચમાં 8, મહેસાણામાં 7 કેસ નોંધાયા છે. તો , જુનાગઢ અને ખેડા, ભાવનગર, રાજકોટ, અરવલ્લી, અને પંચમહાલમાં 5-5 કેસ અને સાબરકાંઠા, બોટાદ, સુરેન્દ્રનગરમાં 4-4 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગર, જામનગર અને ગીર-સોમનાથમાં પણ 3-3 કેસ નોંધાયા છે.
આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 32643 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1848 અને ડિસ્ચાર્જનો કુલ આંક 23670 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6928 છે, જેમાંથી 71 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 6857 દર્દીઓની હાલત સ્થિર છે.