ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં 123 તાલુકાને અસર કારક જાહેર કરી તેમને સહાય ચુકવવાની જાહેરાત કરાઈ છે આ અંગે કૃષિ મંત્રી આર સી ફળદુનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
ખેડૂતોને મળશે સહાય
હેક્ટર દીઠ 10 હજારની સહાય
ટેકાના ભાવે કરાશે ખરીદી
ગુજરાતના ખેડૂતોના બે સાલ ફેલ ગયા છે. ગઈ સાલ પાછોતરા વરસાદે અને કમોસમી માવઠાઓના મારને કારણે અન્નદાતાને આવક નહોતી થઈ તેમાં કોરોનાની મહામારીએ વધુ વિકટ પરિસ્થિતિ બનાવી અને હવે વરસાદે ફરીથી તારાજી સર્જી છે ત્યારે ગુજરાત સરકારે નુકસાનીનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે.
પાક નુકસાનીને લઈને કૃષિ મંત્રી આર.સી.ફળદુનું નિવેદન
ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રતિહેક્ટર SDRFના ધોરણો પ્રમાણે 6800 મળવા પાત્ર હોય છે. રાજ્ય બજેટમાંથી 3200 ઉમરોને કરીને પ્રતિહેક્ટર 10 હજાર મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં 20 હજાર સુધીની સહાય મળશે. ટેકાના ભાવે શરૂ કરાશે પાકની ખરીદી કરાશે. કેટલાક વિસ્તારમાં કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહ્યુ છે.
"
123 તાલુકા અસરગ્રસ્ત જાહેર કરાયા છે. ખેડૂતોએ રાહત મેળવવા માટે અરજીઓ કરવાની રહેશે. જેમની પાસે અડધા હેક્ટર જમીન છે તેમને પણ સહાય મળશે.