યૂપીના મથુરાથી લોકસભાની સભ્ય હેમા માલિનીએ સોમવારે એક વીડિયો ક્લિપ જાહેર કરી છે જેમા તેઓએ કૃષિ કાયદાને ખેડૂતોના હિતમાં ગણાવ્યા છે. આંદોલનકારી ખેડૂતોએ ધરણા સમાપ્ત કરીને સરકાર સાથે વાત કરવાની અપીલ પણ કરી છે.
હેમા માલિનીની ખેડૂતોને અપીલ
આંદોલન સમાપ્ત કરો અને સરકાર સાથે વાત કરો
કૃષિ કાયદા ખેડૂતોના સમર્થનમાં ગણાવ્યો
હેમા માલિનીએ જય જવાન- જય કિસાનની સાથે સંદેશ શરૂ કરતાં કહ્યું કે જેમ જવાન દેશની રક્ષા કરે છે તેમ ખેડૂતો અન્ન આપે છે. અમારી સરકારે પીએમ મોદીના નેતૃત્વમાં 6 વર્ષમાં અનેક કામ ખેડૂતોની ખુશહાલી માટે કર્યા છે.
કૃષિ સુધાર કાયદાએ ખેડૂતોને સારા વિકલ્પો આપ્યા છે
તેઓએ દાવો કર્યો છે કે કૃષિ સુધાર કાયદાએ ખેડૂતોને સારા વિકલ્પો આપ્યા છે જ્યાં ખેડૂતો યોગ્ય ભાવ મેળવી શકે, પાક વેચી શકે. તેઓએ કહ્યું કે દેશના ખેડૂતોને આજે કૃષિ સુધારને માટે વધારે અધિકાર મળી રહ્યા છે. આ માટે પીએમ ધન્યવાદને પાત્ર છે. નવા કાયદા જ્યાં કૃષિ ક્ષેત્રની કાયા કલ્પ કરી રહ્યા છે અને ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહ્યા છે.
પિકનિક સ્પોટ બની જશે
મળતી માહિતી અનુસાર સોમવારે તેઓએ કહ્યં કે 2 જૂન 2016ના રોજ હજારો અતિક્રમણકારીઓના કબ્જામાંથી છોડાવાયેલા બર્બાદ થયેલા જવાહર બાગને ફરીથી બદલવામાં આવી રહ્યો છે અને તેના જિર્ણોદ્ધારનું કામ પણ ચાલી રહ્યું છે. ફેબ્રુઆરીના અંતમાં તેને લોકોને ફરીથી સમર્પિત કરાશે. જલ્ગી મથુરા એક પિકનિક સ્પોટમાં ફેરવાશે.