દેશમાં થોડા મહિનાઓથી લવજેહાદને લઈને ચર્ચા તેજ બની છે અને ગુજરાતમાં પણ તેના વિરુદ્ધ કાયદો લાવવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે યુપી બાદ હવે એમપીમાં પણ બિલને કેબીનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં પણ લવજેહાદ વિરુદ્ધ સરકાર કડક
લવજેહાદ વિરુદ્ધ બિલને કેબિનેટે આપી મંજૂરી
વિધાનસભામાં લાવવામાં આવશે બિલ
લવજેહાદ સામે મધ્યપ્રદેશ સરકાર પણ કડક થઈ
મધ્યપ્રદેશની કેબિનેટ દ્વારા પણ લવજેહાદ વિરોધી બીલને મંજૂરી આપી દેવામાં આવી છે. નવા કાયદામાં કુલ 19 જોગવાઈ કરવામાં આવી છે જે હેઠળ જો ધર્મ પરિવર્તનના મામલામાં પીડિત પક્ષ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે તો પોલીસ કડક કાર્યવાહી. જો કોઈ વ્યક્તિ પર સગીર, અનુસૂચિત જાતિ/જનજાતિની દીકરીઑને ફોસલાવીને લગ્ન કરવામાં આવશે તો બેથી દસ વર્ષની સજા કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ધન અને સંપત્તિની લાલચમાં આવીને ધર્મ છુપાવીને લગ્ન કરે છે તો તે લગ્ન માનવામાં આવશે નહીં.
અમારો કાયદો દેશમાં સૌથી કડક : ગૃહમંત્રી
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું અમે અમારા રાજ્યમાં સૌથી કડક કાયદો બનાવ્યો છે અને હવે આ બિલ વિધાનસભામાં લાવવમાં આવશે. તેમણે કહ્યું કે અમે આ કાયદાની સરખામણી યુપી સાથે નથી કરી રહ્યા પરંતુ અમારો કાયદો સૌથી વધારે કડક છે. તેમણે કહ્યું કે આ પ્રકારના લગ્ન તૂટી ગયા બાદ પણ સંતાનને સંપત્તિમાં હક મળશે અને મહિલા ભરણપોષણના ભથ્થાંની હકદાર રહેશે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે જો કોઈ પંડિત કે મૌલવી દબાણપૂર્વક લગ્ન કરાવવામાં દોષિત સાબિત થશે તો તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
યુપીમાં સૌથી પહેલા બનાવવામાં આવ્યો કાયદો
નોંધનીય છે કે યુપીમાં નવેમ્બર મહિનામાં જ લવજેહાદ વિરુદ્ધ કાયદો બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી અને તે કાયદામાં પણ છેતરીને લગ્ન કરવા પર દસ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. યુપી સરકારે કહ્યું હતું કે લવજેહાદ પર નવા કાયદા એટલે બનાવવામાં આવ્યા છે જેથી લાલચ, દબાણ, ધમકી કે ફોસલાવીને થતાં લગ્ન અટકાવી શકાય.