વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો મામલે પોલીસે UP સ્ટાઈલમાં JCB મશીનો સાથે રાખી કામગીરી કરી, તોફાનીઓને તંત્રની ચેતવણી આપતા કહ્યું કે, હવે તોફાનો કર્યા તો ખેર નથી.
વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો મામલો
પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોંબિંગ કર્યું
મહિલા પોલીસને સાથે રાખી ફતેપુરા, હાથીખાના વિસ્તારમાં કોંબિંગ
20 શંકાસ્પદ તોફાનીઓને પોલીસે પકડી પાડયા
પથ્થરમારો કરી ઘરોમાં છૂપાયેલા તત્વોને શોધી શોધીને પકડ્યા
વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારા મામલે પોલીસે એક્શન મોડમાં આવી તોફાની તત્વોને શોધી કાઢ્યા હતા. વાત જાણે એમ છે કે, ગઈકાલે રામનવમીએ શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસેને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જે બાદમાં ગઈકાલે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું છે. જેમાં પોલીસે 20 શંકાસ્પદ તોફાનીઓને પકડી પાડયા છે.
અડધીરાત્રે ભારે કાફલા સાથે ઉતરી પોલીસ
વડોદરાની ઘટનાને લઈ ગૃહમંત્રીના કડક કાર્યવાહીના આદેશ બાદ પોલીસ અડધી રાતે ભારે કાફલા સાથે આ વિસ્તારમાં ઉતરી હતી. જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધીને પકડ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું હતું. જેમાં મહિલા પોલીસને સાથે રાખી ફતેપુરા, હાથીખાના વિસ્તારમાં કોબિંગ કરી 20 શંકાસ્પદ તોફાનીઓને પોલીસે પકડી પાડવામાં આવ્યા છે.
પોલીસે UP સ્ટાઈલમાં કરી કાર્યવાહી
વડોદરા પોલીસે રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો કરનાર ઇસમોને શોધી લેવા કવાયત શરૂ કરી હતી. જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધીને પકડ્યા હતા. આ સાથે પોલીસે UP સ્ટાઈલમાં JCB મશીનો સાથે રાખી કામગીરી કરી હતી. આ સાથે તોફાની તત્વોને તંત્રએ ચેતવણી આપતા કહ્યું કે, "હવે તોફાનો કર્યા તો ખેર નથી".
શું હતો સમગ્ર મામલો ?
દેશભરમાં ગઈકાલે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા હતા. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ સર્જાઈ હતી. ત્યારે પોલીસે પથ્થમારાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ભવન પહોચ્યા અને અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરાઇ હતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ ભવન પહોંચ્યા હતા
વડોદરામાં બનેલી ઘટનાને લઈને ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. પોલીસ અધિકારીઓએ પોલીસ ભવન ત્રિનેત્ર ખાતે પહોંચ્યા હતા. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ ભવન પહોચ્યા છે. તેમજ વડોદરાના પથ્થરમારાને લઈ CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરાઇ હતી.
મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ
રામનવમીની ભગવાન શ્રીરામની શોભાયાત્રા ફતેહપુરા વિસ્તારમાંથી નીકળતા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક અસમાજિક તત્વોએ ભગવાન રામની મૂર્તિ પર પથ્થરમારો કરીને મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
વડોદરામાં શોભાયાત્રામાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે પથ્થરમારા બાદ 14 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમજ ફતેપુરા તેમજ આસપાસનાં વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે DGP ઓફિસથી સતત સમગ્ર ઘટના મામલે ચેકીગ કરવામાં આવ્યું હતું.
કારેલીબાગ પોલીસ સ્ટેશને લોકો એકઠા થયા
વડોદરામાં રામનવમીન શોભાયાત્રામાં પથ્થરમાબાદ તંગદિલી ઉભી થવા પામી હતી. ત્યારે પથ્થરમારા બાદ હિંદુ સંગઠનોનાં કાર્યકરો કારેલીબાગ પોલીસ મથકે એકઠા થયા હતા. જેમાં VHP, બજરંગદળના કાર્યકરો, સ્થાનિકોની ભીડ એકઠી થઈ હતી.
ગૃહમંત્રીની અસામાજીક તત્વોને ચેતવણી
વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં જે લોકોએ પથ્થરમારો કર્યો છે તે ઘટનાને હર્ષ સંઘવીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. હર્ષ સંઘવીએ પથ્થરમારો કરનારાઓને ચેતવણી આપી હતી કે, રામનવમીની યાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાંખ્યા છે તે ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહી તેવા કડક પગલા ભરવામાં આવશે.