સુરતના તત્કાલિન DCP એમ.એસ.ભાભોર સામે ફરિયાદ, અડાજણના બિલ્ડર ઉદય છાસિયાએ ગૃહમંત્રીને ફરિયાદ કરી
સુરતના તત્કાલિન DCP સામે ફરિયાદ
તત્કાલિન DCP એમ.એસ.ભાભોર સામે ફરિયાદ
બિલ્ડર ઉદય છાસિયાએ ગૃહમંત્રીને ફરિયાદ કરી
રાજકોટ પોલીસ કમિશનર બાદ વધુ એક IPS સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતના તત્કાલિન DCP M.S. ભાભોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અડાજણના બિલ્ડર ઉદય છાસિયાએ ગૃહમંત્રીને ફરિયાદ કરી છે. લાંચ પેટે રકમ ન આપે તો ખોટા કેસ કરીને મિલકત પડાવી લેવાનો કારસો રચ્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. તત્કાલિન DCP, અડાજણ પોલીસ મથકના બે રાઇટર સામે ફરિયાદ કરવામાં આવી, ઉપરાંત તત્કાલિન રાઇટર હિતેશ ચૌધરી, અનકભાઈ સામે પણ ફરિયાદ કરાઈ છે. પોલીસકર્મીઓએ 5 કરો઼ડ 56 લાખ રૂપિયા પડાવવા કાવતરું ઘડ્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. ખોટા પુરાવા ઉભા કરીને, કેસ કરીને બિલ્ડરને જેલમાં ધકેલ્યાની ફરિયાદ દાખલ થઈ છે. જે અધિકારી પર આક્ષેપ કરવામાં આવ્યા છે, તે હાલ વડોદરા ખાતે ફરજ બજાવે છે.
ઉદય છાસિયા, ફરિયાદીએ શું આરોપ કર્યા
ફરિયાદના આરોપ અનુસાર વર્ષ 2016માં મારી સાઇટ પરશુરામ ગાર્ડન પાસે ચાલતી હતી. અડાજણ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મી મારી પાસે આવ્યા હતા. DCP ભાભોર બોલાવે છે એમ કહીને મને લઇ ગયા હતા જે બાદ હું એમ.એસ ભાભોરની ઓફિસમાં ગયો હતો, એ સમયે મારી પાસે 10 કરોડ રૂપિયાની લાંચ માગી હતી. અને ધમકી સ્વરૂપે એવું કહેવામાં આવ્યું હતું કે જો તમે 10 કરોડ નહીં આપો તો તમારો ધંધો બંધ થઈ જશે. અને સાથે જ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ડી સ્ટાફના કર્મીઓ મારી સાઇટ પર વારંવાર આવવા લાગ્યા હતા અને તારી સામે ફરિયાદ આવ્યાનું કહી મને પકડીને લઇ જતા હતા.
તત્કાલિન DCP M.S. ભાભોરે આરોપોને વખોડી કાઢ્યા
હું ફરિયાદીને રૂબરૂ મળ્યો નથી એમના વિરુદ્ધ ગુનો આવ્યો હતો તો ફરીયાદ દાખલ થઈ હતી. એલિગેશન ગમે તે કરી શકે હું ઉદય છાસિયાને કોઈ દિવસ મળ્યો પણ નથી તો કેવી રીતે શક્ય બને કે આરોપ મુજબ મારા માણસ આવે અને ધમકાવે? રૂપિયાની કોઈ જ મેટર નથી ફક્ત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ગુનો પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં હોય છે DCPની ઓફિસમાં નહીં. આરોપો પાયા વિહોણા છે.