બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Priyakant
Last Updated: 01:12 PM, 7 August 2022
ભારતના પાડોશી દેશ શ્રીલંકાને આપણે તેમના મુસીબતના સમયમાં મદદ કરી છે. તેવામાં હવે શ્રીલંકાએ ચીનને ઝટકો આપતા ભારતના વાંધાને ગંભીરતાથી લીધો છે. કોલંબોએ ચીનના જાસૂસી જહાજ યુઆન વાંગ-5ને હંબનટોટા બંદરે પહોંચવાની તારીખ લંબાવવા માટે કહ્યું છે. ભારતે ચીનના જહાજના શ્રીલંકામાં રોકાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેથી આ નિર્ણયને ચીન માટે આંચકા તરીકે જોવામાં આવી રહ્યો છે.
શું છે મામલો ?
વાસ્તવમાં ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ 5 ઓગસ્ટે હંબનટોટા બંદર પહોંચવાનું હતું. આ જહાજ 17 ઓગસ્ટ સુધી અહીં જ રોકાત. ત્રીજી પેઢીનું આ આધુનિક જાસૂસી જહાજ શ્રીલંકામાં રોકાયા બાદ ભારતે તેને પોતાની સુરક્ષા માટે ખતરો માનીને વિરોધ નોંધાવ્યો હતો.
ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું હતું ?
ભારતીય વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, તેઓ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે. આનાથી ભારતની સુરક્ષા અને આર્થિક હિતો પર કોઈ અસર પડશે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જરૂર પડ્યે સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.
આ તરફ શ્રીલંકાના વિદેશ મંત્રાલયે કોલંબોમાં ચીની દૂતાવાસને પત્ર લખીને આગળના પરામર્શ સુધી જહાજના આગમનની તારીખ સ્થગિત કરવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે, શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને 12 જુલાઈ 2022ના રોજ હમ્બનટોટા બંદરે આવવાની પરવાનગી આપી હતી.
અવાર-નવાર શ્રીલંકાને મદદ કરે છે ભારત
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આ દિવસોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આર્થિક સંકટના કારણે લોકો માટે અહીં રોજબરોજની વસ્તુઓ એકઠી કરવી મુશ્કેલ બની ગઈ છે. લોકો પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યપદાર્થો માટે પણ તલપાપડ છે. શ્રીલંકાની મદદ માટે માત્ર ભારત જ ખુલ્લેઆમ આગળ આવ્યું છે. આવી સ્થિતિમાં ચીનના જહાજને હંબનટોટા પોર્ટ પર રોકવાની મંજૂરી આપવી એ ભારત માટે મોટો આંચકો હતો. જોકે શ્રીલંકાના નવા નિર્ણયથી એવું લાગી રહ્યું છે કે તે વર્તમાન સમયે ભારતને નારાજ કરવા માંગતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army