અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું. જેમાં તેમણે આ સમગ્ર મામલે પોતાની વાત રાખી. મહત્વનું છે કે, અયોધ્યા ચુકાદાને દેશભરમાંથી આવકાર મળી રહ્યો હતો
કોર્ટનો આ ચુકાદો નવી સવાર લઇને આવ્યોઃ PM મોદી
ભવિષ્યના ભારત માટે કામ કરવાનું છે, લક્ષ્ય, પડકારો અને મંજિલો આગળ છેઃ PM મોદી
તમામ નાગરિક સાથે મળીને લક્ષ્ય મેળવીશુંઃ PM મોદી
આજની દિવસને યાદ રાખીને આગળ વધવાનો સંકલ્પ લઈએ: PM
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અયોધ્યા પર કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. જેની પાછળ સેંકડો વર્ષનો એક ઇતિહાસ રહ્યો છે. સમગ્ર દેશની આ ઇચ્છા હતી કે આ મામલે કોર્ટમાં દરરોજ સુનાવણી થાય અને આજે ચુકાદો આવી ગયો છે.
વર્ષો સુધી ચાલેલ ન્યાય પ્રક્રિયા અને તે પ્રક્રિયાનું સમાપન થયું છે. સમગ્ર દુનિયા માનતી હતી કે ભારત દુનિયાનો સૌથી લોકતાંત્રિક દેશ છે. ચુકાદો આવ્યા બાદ જે પ્રકારે દરેક વર્ગના લોકોએ ખુલ્લા દિલથી તેનો સ્વીકાર કર્યો છે, ભારતની પરંપરા બતાવે છે.
સુપ્રીમ કોર્ટે સૌને સાંભળ્યા
પ્રધાનમંત્રીએ કહ્યું કે, અયોધ્યા મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સૌને સાંભળ્યા. દેશ માટે ખુશીની વાત છે કે ચુકાદો સર્વસમ્મતિથી આપ્યો. પરિવારમાં નાના પ્રશ્ન ઉકેલવામાં મુશ્કેલી આવે છે. આજે 9 નવેમ્બર છે. આ એજ તારીખ છે જ્યારે બર્લિનની દીવાલ તોડી પાડવામાં આવી હતી. બે અલગ ધારાઓને એક થઇને નવો સંકલ્પ લીધો હતો. આજે 9 નવેમ્બરે કરતારપુર કૉરિડોરની શરૂઆત થઇ છે. જેમાં ભારત અને પાકિસ્તાન બન્નેનું યોગદાન રહ્યું છે. આ તારીખ આપણને સાથે રહીને આગળ વધવાનો સંદેશ આપી રહી છે.
નવી સવાર લઇને આવ્યો ચુકાદો
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજની તારીખ એ પણ સંદેશ આપે છે કટ્ટરતાને કોઇ સ્થાન નથી. દરેક સ્થિતિમાં ધીરજ બનાવી રાખવી જરૂરી છે. કોર્ટનો આ ચુકાદો અમારા માટે નવી સવાર લઇને આવ્યો છે. આ વિવાદથી કેટલીક પેઢીઓને અસર પહોંચી છે. પરંતુ આપણે આ સંકલ્પ લેવો પડશે કે આપણે નવા ભારતનું નિર્માણ કરીએ છીએ. આપણે સૌએ સાથે લઇને, સૌનો વિશ્વાસ મેળવતા આગળ વધવાનું છે. રામ મંદિરના નિર્માણનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપી દીધો છે. હવે દેશના દરેક નાગરિક પર રાષ્ટ્ર નિર્માણની જવાબદારી વધી ગઇ છે.