અફઘાનિસ્તાનમાં તાલિબાને દેશની કાર્યવાહક સરકારનું એલાન કર્યુ છે. ત્યારે ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ સરકારમાં એવા નામ સામેલ છે જેમને અમેરિકા અને યુએનને આતંકવાદી જાહેર કર્યા છે. તેમજ તાલિબાનએ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સિરાજુદ્દીન હક્કાનીને અફઘાનિસ્તાનનો નવો ગૃહ મંત્રી બનાવ્યો છે. જેના પર અમેરિકાએ ઈનામ જાહેર કર્યું છે. સિરાજુદ્દીનનો સંબંધ પાકિસ્તાનના નોર્થ વજીરિસ્તાન વિસ્તારથી છે. ખૂંખાર આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કને ચલાવનાર સિરાજુદ્દીન વિશે કહેવામાં આવે છે કે તે નોર્થ વજીરિસ્તાનમાં મિરામ શાહ વિસ્તારમાં રહે છે. હક્કાની નેટવર્કના આ મુખ્ય આતંકીનું નામ FBIના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે. તેવામાં સવાલ થઈ રહ્યા છે કે આતંકિઓથી ભરેલી આ સરકારને દુનિયા કેવી રીતે માન્યતા આપશે.
ગૃહ મંત્રી સિરાજુદ્દીન હક્કાની
અમેરિકાએ સિરાજુદ્દીન પર 50 લાખ ડોલર (73 કરોડ 36 લાખ અને 65 હજાર) નું ઈનામ જાહેર કરી રાખ્યું છે. 2008માં જાન્યુઆરીમાં કાબુલની એક હોટેલ પર થયેલા હુમલાના આરોપ હેઠળ આ ઈનામ રખાયું છે. આ ઉપરાંત યુનાઈટેડ સ્ટેટની વિરુદ્ધ અફઘાનિસ્તાનમાં ક્રોસ બોર્ડર અટેક તથા 2008માં અફઘાનિ રાષ્ટ્રપતિ હામિદ કરજઈની હત્યાનું ષડયંત્ર રચવામાં તેનું નામ સામે આવ્યુ હતુ. ભારતીય દૂતાવાસ પર આત્મઘાતી હુમલામાં તેનો સીધો હાથ છે. પાકિસ્તાન સાથે તેનો સીધો સંબંધ હોવાથી તે ભારત માટે ચિંતાનું કારણ છે. પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISI હક્કાની નેટવર્કને આશ્રય આપી રહી છે. આ સંગઠનનો બેસ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ સીમામાં છે.
પ્રધાનમંત્રી મુલ્લા હસન અખુંદ
મુલ્લા હસન અખુંદ તાલિબાનની શક્તિશાળી નિર્ણય લેનારી સંસ્થા રહબરી શૂરા અથવા નેતૃત્વ પરિષદના લાંબા સમયથી પ્રમુખ છે. મીડિયા રિપોર્ટ અનુસાર મુલ્લા હસન અખુંદ તાલિબાનના શરુઆતના સ્થલ કંધાર સાથે સંબંધ ધરાવે છે. અને સશસ્ત્ર આંદોલનના સંસ્થાપકોમાંના એક છે. તેમણે ‘રહબરી શૂરા’ના પ્રમુખના રુપમાં 20 વર્ષ સુધી કામ કર્યું છે અને મુલ્લા હેબતુલ્લાહ અખુંદઝાદાના નજીક માનવામાં આવે છે. 1996થી 2001 સુધી અફઘાનિસ્તાનની સરકારમાં વિદેશ મંત્રી અને ઉપ પ્રધાનમંત્રી તરીકે કામ કર્યુ હતુ. કંધારના મુલ્લા હસન સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક આતંકિયોની યાદીમાં સામેલ છે. યુએન રિપોર્ટમાં અખુંદને ઉમરના નજીકના અને રાજનીતિક સલાહકાર તરીકે ડિસ્ક્રાઈબ કરવામાં આવ્યો છે.
ઉપ પ્રધાનમંત્રી મુલ્લા બરાદર
મુલ્લા બરાદર તાલિબાનના સંસ્થાપકોમાંનો એક છે. 19994માં તાલિબાન સંગઠનમાં તે સામેલ થયો હતો. તેણે 1996થી 2001 સુધી તાલિબાનના અફઘાનિસ્તાનમાં રક્ષા મંત્રી તરીકે કામ કર્યુ. બરાદરને મુલ્લા ઉમરના નજીકના મનાય છે. યુએનની પ્રતિબંધિત નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન સરકારના પતન બાદ બરાદરે ગઠબંધન દળો પર હુમલા માટે જવાબદાર એક વરિષ્ઠ સૈન્ય કમાન્ડર તરીકે કાર્ય કર્યુ.
બીજા ઉપ પ્રધાનમંત્રી અબ્દુલ સલામ હનાફી
મનાઈ રહ્યું છે કે 53 વર્ષીય અબ્દુલ સલામ હનાફીને મે 2007માં ઉત્તર અફઘાનિસ્તાનના જોર્જુજાન પ્રાંતના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. માદક પદાર્થોની તસ્કરી માટે સંયુક્ત રાષ્ટ્રએ તેના પર પ્રતિબંધ લગાવી રહ્યો છે. કહેવા છે કે અબ્દુલ સલામ બનાફી જ યૂએસ અફઘાન શાંતિ સમજૂતિની કુંજી હતો. તે નશીલ પદાર્થોની તસ્કરીમાં સામેલ હતો.
વિદેશ મંત્રી આમિર ખાન મુતક્કી
મૂળ રુપથ પંક્તિયાનો રહેવાસી મુતક્કી પોતાને હેલમંદનો રહેવાસી ગણાવે છે. મુતક્કીએ હત તાલિબાન સરકારમાં શિક્ષા મંત્રીની સાથે સાથે સંસ્કૃતિ અને સૂચના મંત્રી કાર્યભાર સંભાળ્યો હતો. મુતક્કીને બાદમાં કતાર મોકલવામાં આવ્યો હતો. તેને શાંતિ આયોગ અને વાર્તા દળના સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેણે અમેરિકા સાથે વાત કરી હતી.