બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Accused targeted the contractors house in Meghaninagar of Ahmedabad city and stole gold jewellery

અમદાવાદ / લ્યો બોલો.. લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી દાગીના લેવા ગયાં, ઘરે ચોરે આવીને ચાર ચેઈન છૂમંતર કરી નાખી, મેઘાણીનગરનો કિસ્સો

Kishor

Last Updated: 11:43 PM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં કોન્ટ્રાકટરના ઘરને નિશાન બનાવી આરોપીઓ સોનાના દાગીના ચોરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

  • અમદાવાદમાં કોન્ટ્રાકટરના ઘરમાંથી ચોરી
  • ત્રણ આરોપી ચાર ચેઈન ચોરી ગયા 
  • દાગીના લેવા ગયાં ત્યારે ચોરી થયાની કરાઈ પોલીસ ફરિયાદ

અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં કોર્પોરેશનના કોન્ટ્રાકટરના ઘરમાંથી રૂપિયા ૨.૬૫ લાખના સોનાના ચાર ચેઇનની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોન્ટ્રાકટરનાં પત્નીને લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી દાગીના લેવા ગયાં ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી. જેને લઈને ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 ૨.૬૫ લાખના સોનાના દાગીના લખાવ્યા હતા

મેઘાણીનગરમાં રહેતાં ભાવિષાબહેન વાઘેલાએ ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાવિષાબહેનના પતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. થોડા દિવસ પહેલાં પતિને ચૂંટણીનું ફોર્મ ભરવાનું હોવાથી તેમણે એફિડેવિટમાં ૨.૬૫ લાખના સોનાના દાગીના લખાવ્યા હતા. ગઈ કાલે ભાવિષાબહેનને મામાના દીકરાના લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી તેઓ દાગીના લેવા ગયા હતા. આ વખતે કબાટમાં દાગીના ગાયબ જોઈને તે ચોંકી ગયાં હતાં.

અજય ઉર્ફે રાજુ, ચંપા નાડિયા અને સુમિત રાઠવાની પૂછપરછ

ભાવિષાબહેન અને તેમના પતિએ ઘરમાં શોધખોળ કરી પરંતુ દાગીના મળી આવ્યા ન હતા. ભાવિષાબહેનના ઘરમાંથી કુલ ૨.૬૫ લાખની ચાર ચેઇનની ચોરી થઇ હતી. ભાવિષાબહેને ઘરમાં ચોરી બાબતે આરોપી તરીકે કામ કરતા અજય ઉર્ફે રાજુ, ચંપા નાડિયા અને સુમિત રાઠવાની પૂછપરછ કરી હતી. આ ત્રણેય પાસે ઘરની તમામ માહિતી હોવાથી તેમના પર ભાવિષાબહેનને શક હતો. આ સમયે તેમણે પોલીસને અરજી કરી હતી. પોલીસની તપાસમાં ચાર ચેઇન ત્રણ આરોપીએ પરત આપવાનું કહ્યું હતું. પરંતુ આજ દિન સુધી સોનાની ચેઈન પરત ન આપતાં ભાવિષાબહેને તેમની વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ