બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / રાજકોટ / A youth who was a victim of superstition in Rajkot filed an application at the police commissioner's office
Malay
Last Updated: 11:23 AM, 4 October 2023
Rajkot News: ગુજરાત સમેત દેશભરમાં અંધશ્રદ્ધાના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે. ઘણા લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનીને લાખો હજારો રૂપિયા ગુમાવી દેતા હોય છે તો ઘણીવાર આવી જ અંધશ્રદ્ધાને લઈને લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. આજે ભલે દુનિયા 21મી સદીમાં પહોંચી ગઈ હોય પરંતુ આજે પણ ઠેર ઠેર અંધશ્રદ્ધા જોવા મળે છે. ત્યારે રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભુવાએ 'તમારું કામ અઘરું છે' કહીને 8 લાખ પડાવતા પીડિતે પોલીસ કમિશનર કચેરી ખાતે ભૂવા સામે અરજી આપી છે.
ભુવાએ 8 લાખ પડાવ્યા
રાજકોટના મંગળા મેઈન રોડ પર રહેતા અને નોકરી કરતા મનીષ લોટીયા અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે. મનીષભાઈ પાસેથી ભુવાએ વિવિધ ડિમાન્ડ કરીને 8 લાખ પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ભુવાએ દારુની બોટલ, મટન, કુંવારી છોકરીની માંગ કરતા મામલો બિચક્યો હતો. મનીષભાઈ લોટીયાએ ભુવા પાસેથી રૂપિયા પરત માંગતા ભુવાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મનીષ લોટીયાએ ભુવાજી અરુણ સાપરિયા સામે પોલીસ કમિશનરને અરજી કરી છે.
પૈસા પરત માંગતા આપી ધમકી
મનીષ લોટીયાએ કહ્યું કે, પારિવારિક મુશ્કેલીમાં ભુવા અરુણ સાપરિયા સાથે સંપર્ક થયો હતો. જે બાદ ભુવાએ મુશ્કેલી દૂર કરવા માટે પહેલા 40 હજાર રૂપિયા, એક સ્કોચની બોટલ અને મટનની માંગ કરી હતી. જે બાદ ભુવાએ અત્યાર સુધીમાં સાતથી આઠ લાખ રૂપિયા લીધા હતા. પછી મને ભુવાએ કહ્યું કે કુંવારી છોકરી લઈ આવ એટલે તારું કામ થઈ જશે, પછી મને ખબર પડી કે આ માણસ ખોટો છે. મેં ભુવા પાસેથી રૂપિયા પરત માગતા ભૂવાએ મને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી મળતા મેં રાજકોટ પોલીસ કમિશનર સાહેબને અરજી કરી છે.
અંધશ્રદ્ધાનો ભોગ બનેલા યુવકે પો.કમિશનરને કરી અરજી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army