કચ્છમાં વરસાદી માહોલ બાદ કાળા ડુંગરનો જોવા મળ્યો રમણીય નજારો, કુદરત સોળે કળાએ ખીલુ ઉઠ્યુ હોય તેવા દ્રશ્યો
કચ્છમાં સારા વરસાદ બાદ આહલાદક નજારો
કાળા ડુંગરના સુંદર દ્રશ્યો સામે આવ્યા
વરસાદને કારણે કાળા ડુંગરનું વાતાવરણ રમણીય બન્યું
ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો મેઘો ધોધમાર વરસ્યો. ત્યારે કચ્છમાં તો વરસાદ બાદ કંઇક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છમાં સારા વરસાદ બાદ કાળા ડુંગરના દ્રશ્યો સામે આવ્યા છે. જે કંઇ હિલ સ્ટેશનથી ઓછા નથી.ચોમેર હરિયાળી અને ધુમ્મસ રાજ જોવા મળી રહ્યું છે. વરસાદને કારણે કાળા ડુંગરનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ધુમ્મસની સાથે વરસાદથી હિલ સ્ટેશન જેવુ વાતાવરણ સર્જીયુ છે. મહત્વનું છે કે કાળો ડુંગર મુખ્ય શહેર ભુજથી 97 કિમી દૂર આવેલો છે. કાળો ડુંગર પર્વતોની ભૂસ્તરશાસ્ત્ર રચનાની રીતે કચ્છમાં સૌથી જૂનો છે.
દત્તાત્રેય ભગવાનનું મંદિરનો અનોખો નજારો
આ જગ્યા કચ્છ જીલ્લાનું સૌથી ઉંચી સપાટી છે. અહીંથી કચ્છના મોટા રણનો પેનોરેમિક વ્યુ દેખાય છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ સ્થળ ખૂબ મહત્વનું છે. અહીં 400 વર્ષ જુનું દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. અહીં એક સ્થળ એવું છે જ્યાં ગાડી ઉંધો ઢાળ ચઢે છે. કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂનાં દત્તાત્રેય મંદિર માટે જાણીતો છે. દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે. કાળા ડુંગર પર વિચિત્ર ઘટના અનુભવાય છે જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે.