બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / A tragic accident took place in Kanpur, Uttar Pradesh in which 6 people died tragically

કરૂણાંતિકા / યુપીના કાનપુરમાં બસ ચાલકે ટ્રાફિક બૂથ તોડી વાહનચાલકોને લીધા અડફેટે, ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત

Ronak

Last Updated: 07:56 AM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા એક બસ ચાલકે ટ્રાફિકબુથ તોડી વાહનચાલકોને અડફેટે લીધા જેમા કુલ 6 લોકોના કરૂણ મોત થયા છે.

  • ઉત્તરપ્રદેશના કાનપુરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત 
  • અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત 
  • ઘટના બાદ બસ ચાલક સ્થળ પરથી ફરાર 

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગત મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા છે. સાથેજ ઘણા બધા લોકો ઘાયલ પણ થયા છે. પ્રાપ્ત થતિ માહિતી અનુસાર ટાટમિલ ચોકડી પાસે એક ઈલેક્ટ્રિક બસના ડ્રાયવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી ટ્રાફિક બૂથને તોડીને અમુક રાહદારીઓને અને વાહન ચાલકોને અડફેટે લીધા હતા. 

2 લોકોના ઘટના સ્થળે મોત 

આ અકસ્માત એટલો ગંભીર હતો કે 2 લોકોના ઘટના સ્થળેજ મોત થયા હતા. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેથી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા તે સમયે તેમણે રસ્તામાંજ શ્વાસ છોડી દીધા, એટલે આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 6 લોકોના ખુબજ કરૂણ મોત થયા છે. 

અકસ્માત બાદ બસ ચાલક ફરાર 

બસ ઘંટાઘર થી કિદવઈનગર જવા માટે નીકળી હતી તે સમયે બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો. અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બસ ડ્રાયવર તેજ સમયે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળ હાલ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાજ પોલીસ સ્થળ પર પહોચી હતી અને તેમણે ઘાયલ મુલાફરોને લાલા લાજપત રાય હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ કરી ટ્વીટ 

આ અકસ્માતની જાણ થતાજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું. જેમા તેમણે કહ્યું કે કાનપુરમાં જે અકસ્માત સર્જાયો તેને લઈને ઘણું દુખ થયું. મૃતકોના પરિવારને હું મારી સંવેદના છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ઈશ્વરને પ્રા્થના કરું છું કે ઘાયલો પણ જલ્દીથી સાજા થાય. 

અમુક લોકોની હાલત ગંભીર 

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં ભોગ બનેલા અમુક લોકોની હાલત હજુ પણ ઘણી ગંભીર છે. ઘટનામાં મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયા છે. હાલ પોલીસ બસ ડ્રાયવરને શોધી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા બધા લોકો ઘાયલ પણ થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ