બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / રાજકોટ / A three-day "Shiva Darshan" exhibition of pictures of Lord Shiva has been organized at Somnath Temple
Dinesh
Last Updated: 07:19 AM, 27 August 2023
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવના દર્શનનો અનોખો મહિમા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ પાસે આવેલા ઘેલા સોમનાથ મંદિર ખાતે "શિવ દર્શનનું" ત્રણ દિવસ માટે શિવજીના ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. એટલું જ નહીં જેમાં ઘેલા સોમનાથનો મહિમા અને ઇતિહાસ રૂપે જે તે ચિત્ર પાસે લખાણ પણ મૂક્વામાં આવ્યું છે. જેથી નવી પેઢી અને શિવ ભક્તો મહિમા જાણી શકે. અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલ દ્વારા માત્ર ત્રણ પેનનો ઉપયોગ કરી ભગવાન શિવની 200થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઇ છે.
ભગવાન શિવના અનોખા ભક્ત
અમદાવાદના હસમુખ પટેલ ભગવાન શિવના અનોખા ભક્ત છે. તેઓ જોધપુર વિસ્તારમાં પાન પાર્લર ચલાવે છે. જેઓ છેલ્લાં 18 વર્ષથી ભગવાન શિવના ચિત્રો બનાવી રહ્યાં છે. તેમજ અત્યાર સુધીમાં 500 જેટલા ચિત્રો તેમણે બનાવ્યા છે. માત્ર 10 ધોરણ સુધી ભણેલા હસમુખભાઈએ ચિત્રો બનાવવાની તાલીમ પણ લીધેલી નથી. જોકે સ્વયં સ્ફૂર્ણાથી તેઓએ ભગવાન શંકરના વિવિધ પ્રંસગો જેવા કે શિવ તાંડવ, ગંગા અવતરણ, ભસ્માસુર વધ જેવા પ્રસંગોને આવરી લઈને ચિત્રો દોર્યા છે.
જ્યોતિલિંગની કથાઓ
બાર જ્યોતિલિંગની કથાઓને આવરી લઈને બનાવેલા ચિત્રોનું પ્રદર્શન કરી છેવાડાના ગ્રામજનોને ભગવાન શિવની વિવિધ મહિમા બતાવવાના આ અભિયાનની શરૂઆત કરી છે. હસમુખ પટેલે ખાસ વાતચીતમાં જણવ્યું હતું કે, તેમના મતે ભગવાન શિવના ચિત્રો તેઓ માત્ર દર્શનાર્થે જ રાખે છે. જોકે 2006માં સોમનાથ મહાદેવથી શરૂ કરેલી શિવ દર્શન યાત્રા 2023માં પણ અવિરત ચાલુ જ રાખી છે.
ઘેલા સોમનાથ ખાતે પ્રદર્શન
હસમુખ પટેલ જાતે જ ચિત્ર દોરે છે, ચિત્રના માધ્યમથી મહાદેવ સ્વયંભૂ બેઠા હોય તેવા અલૌકિક દર્શન લોકોને થઈ રહ્યા છે. સોમનાથ લૂંટની વાત હોય કે, પછી 1457માં મહાદેવ પર થયેલા આક્રમણની કથા હોય. આ તમામ વાતોને આવરી લઇ ગુજરાત ભરના શિવાલયોમાં પ્રદર્શન કરી રહ્યા છે. અત્યારે 28 તારીખ સુધી જસદણના ઘેલા સોમનાથ ખાતે આ પ્રદર્શન ચાલી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન જે ઠેકાણે ઉતર્યું છે તેને ભારતે શિવશક્તિ પોઈન્ટ એવું નામ આપ્યું છે. આ શિવશક્તિ પોઈન્ટ પર ફરી રહેલું રોવર ઈસરોના વીડિયોમાં દેખાતું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army