રાજકોટમાં તંત્ર દ્વારા નવા સિવીલ હોસ્પિટલ બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા વધતી જતી વસ્તીને કારણે તંત્ર દ્નારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં તંત્ર દ્વારા નવી હોસ્પિટલ બનાવામાં આવશે
ટૂંક સમયમાં રાજકોટને તંત્ર દ્વારા મળશે મોટી ભેટ
શહેરમાં વધતી જતી વસ્તીને લઈને લેવાયો મોટો નિર્ણય
રાજકોટના લોકોને લાંબા સમયથી જે સમસ્યા નડી રહી હતી તેનો હવે અંત આવશે.રાજકોટમાં હવે નવી સિવિલ હોસ્પિટલ બનવા જઈ રહી છે. જે અત્યારની સરખામણીએ મોટી હશે સાથેજ આ હોસ્પિટલને અદ્યતન સુવિધાથી સજ્જ બનાવામાં આવશે. જેથી કરીને હોસ્પિટલમાં ઈલાજ કરાવા આવતા દર્દીઓને હવે કોઈ તકલીફ નહી પડે.
વધતી વસ્તીને કારણે લેવાયો નિર્ણય
આપને જણાવી દઈએ કે છેલ્લા અમુક સમયથી રાજકોટમાં વસ્તી વધી રહી છે. જેથી વસ્તી વધવાને કારણે તંત્ર દ્વારા આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. વસ્તી વધવાને કારણે હોસ્પિટલમાં દર્દીઓને તકલીફ થઈ રહી હતી. જેથી કરીને દર્દીઓને સારી સુવિધા મળી રહે તે અર્થે તંત્ર દ્વારા નવી હોસ્પિટલ બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જમીન પણ હોસ્પિટલ માટે ફાળવવામાં આવી
રાજકોટમાં હાલ સિવિલ અને પદ્મકુંવરબા હોસ્પિટલ કાર્યરત છે. પરંતુ વસ્તી વધારો થવાને કારણે દર્દીઓને તકલીફ પડતી હોય છે. જેથી હવે તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ બનાવાશે. આપને જણાવી દઈએ કે નવી હોસ્પિટલને લઈને જમીન ફાળવણી સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
શહેરની કુલ વસ્તી 20 લાખને પાર
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હાલ કુલ વસ્તી 20 લાખને પાર પહોચી ગઈ છે. જેથી વધતી સામે લોકોને યોગ્ય પ્રમાણમાં આરોગ્ય સેવા પૂરી મલી રહે તેને લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા હવે નવી જે હોસ્પિટલ બનાવામાં આવશે તે હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ સજ્જ રાખવામાં આવશે.