ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલનું કહેવું છે કે 2014 સુધી બેન્કો, સરકાર અને રેગ્યૂલેટરની નિષ્ફળતાને કારણે બેડ લોન મેસની વર્તમાન સ્થિતિ પેદા થઇ અને બેન્કોની વર્તમાન (બફર) મુડી આધારમાં કમી આવી છે. એમણે તમામને બેન્કિંગ ક્ષેત્રમાં યથાસ્થિતિની તરફ પાછા ફરવાની 'લાલચ' થી બચવા કહ્યું છે.
ઉર્જિત પટેલે ગત વર્ષે 10 ડિસેમ્બરે રિઝર્વ બેન્કના ગવર્નર પદથી રાજીનામુ આપ્યું હતું. સરકાર સાથે વિવાદોને પગલે એમણે આ પગલું ઉઠાવ્યું હતું. પોતાના રાજીનામા બાદ પટેલે પહેલી વાર ડુબતી દેવા પર પ્રતિક્રિયા આપી છે. એમણે કહ્યું છે કે બેન્ક જરૂર કરતા વધારે લોન આપતી રહી જ્યારે સરકારે પણ પોતાની ભૂમિકાને પૂર્ણ રીતે નિભાવી નહીં. એમણે સ્વીકાર કર્યો કે રેગ્યૂટેર પહેલા જ કેટલાક પગલા ઉઠાવવા જોઇતા હતા.
બુધવારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નરે એક કાર્યક્રમને સંબોધિત કરતા દેશના બેન્કિગ ક્ષેત્રની ચિંતાના ક્ષેત્રોને રેખાકિંત કરી. તેમા વિશેષ રૂપે સાર્વજનિક ક્ષેત્રની બેન્કોની નોન પર્ફોર્મિંગ અસેટ્સ (NPA) અને વર્તમાન મુડી બફરને કેટલાક હદે વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહ્યો છે. અને તે આટલા મોટા પ્રેશરને પહોંચી વળવામાં અપૂરતી છે. પટેલે એક પ્રેઝન્ટેશનમાં કહ્યું કે 'અમે આ હાલતમાં કેવી રીતે પહોંચ્યા? ઘણા આરોપ છે.'
2014 પહેલા તમામ સ્ટોકહોસ્ટર્સ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવવમાં નિષ્ફળ રહ્યા. તેમા બેન્ક, રેગ્યૂલેટર અને સરકાર તમામ સામેલ છે. આપને જણાવીએ કે, 2014 બાદ જ્યાં કેન્દ્રમાં સરકાર બદલાઇ ત્યારે એ સમયે રઘુરામ રાજન ગવર્નરલ પદ પર હતા. એ સમયે રિઝર્વ બેન્કની સંપત્તિની ગુણવત્તાની સમીક્ષા શરૂ કરવામાં આવી, જેથી પ્રણાલીમાં મોટી માત્રામાં દબાણ વાલી સંપત્તિઓ વિશે જાણવા મળ્યું છે. તેને પહોંચી વળવા માટે બેન્કરપ્સી લૉ શરૂ કરવામાં આવી.