ભારતીય રેલવે એ Unreserved Ticket Booking ને લઈને ફેરફાર કર્યો છે તેમાં અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને મુસાફરી કરતા લાખો મુસાફરોને ફાયદો થશે.
ભારતીય રેલવે એ Unreserved Ticket Booking ને લઈને ફેરફાર કર્યો
સ્ટેશનથી દૂર છો તો એપ દ્વારા ટિકિટ બુક કરાવી શકાશે
જાણો શું છે નવી સિસ્ટમ
દરરોજ કેટલાય લોકો રેલ્વે દ્વારા મુસાફરી કરે છે અને એટલા માટે ભારતીય રેલ્વેએ તેના મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે કેટલાક નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જણાવી દઈએ કે મુસાફરોની સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલ્વે મંત્રાલયે અનરિઝર્વ્ડ ટિકિટો પર એક મોટો નિર્ણય લીધો છે. ભારતીય રેલવે એ Unreserved Ticket Booking ને લઈને ફેરફાર કર્યો છે તેમાં અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને મુસાફરી કરતા લાખો મુસાફરોને ફાયદો થશે.આ નિર્ણય મુજબ મંત્રાલયે એપ દ્વારા ટિકિટ બુક કરાવવા માટે નક્કી કરેલ અંતર વધારી દીધું છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર મર્યાદિત અંતરની ટિકિટોના દુરુપયોગને રોકવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે હવે તમે મુસાફરી શરૂ કરતા સ્ટેશનથી દૂર હોય ત્યારે એપ દ્વારા બેઠા બેઠા ટિકિટ બુક કરી શકશો. એટલે કે જ્યાંથી પણ મુસાફરી શરૂ કરવા માંગો છો અને એ સ્ટેશનથી તમે દૂર છો તો એપ દ્વારા ટિકિટ બુક કરવી શકો છો. જણાવી દઈએ કે આ અનરિઝર્વ્ડ ટિકિટમાં મળતા આ નિયમને કારણે મુસાફરોનો ઘણો સમય બચી શકે છે અને સાથે જ ટિકિટ મેળવવા માટે મુસાફરોને લાંબી કતારોમાંથી મુક્તિ મળશે. ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે અત્યાર સુધી શરૂઆતના સ્ટેશનથી 2 કિમી દૂરથી એપ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરી શકતા હતા.
રેલ્વેમાં મુસાફરી કરવા માટે બે પ્રકારની ટિકિટ બુક કરવામાં આવે છે, રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ. રિઝર્વ્ડ ટિકિટો ઓનલાઈન અથવા એપ દ્વારા ગમે ત્યાંથી બુક કરી શકાય છે પણ અનરિઝર્વ્ડ ટિકિટ માત્ર પ્રવાસ શરૂ થતા સ્ટેશનથી મર્યાદિત અંતર સુધી જ બુક કરી શકાય છે. પરંતુ હવે નિયમમાં ફેરફાર કરવાને કારણે એ બે કિમીનું અંતર વધારીને 20 કિમી કરવામાં આવ્યું છે.
જાણો કઇ ટ્રેનમાં થયો બદલાવ
ઘણી વખત સ્ટેશનથી બે કિમીનું અંતર હોય ત્યારે મોબાઈલમાંથી નેટવર્ક ન મળવાને કારણે યાત્રીઓને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો, આ કારણે મુસાફરો ઈચ્છવા છતાં પણ ટ્રેનની ટિકિટ બુક કરાવી શકતા નહતા અને આ વાત રેલવે બોર્ડના ધ્યાનમાં આવી હતી. એ તલઅ માટે નિયમોમાં ફેરફાર કરતાં મંત્રાલયે આ અંતર 2 કિમીથી વધારીને 20 કિમી કરી દીધું છે. જણાવી દઈએ કે રેલ્વેએ સબર્બન અને મેલ-એક્સપ્રેસથી અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે પણ EMU જેવી ટ્રેનોમાં પહેલાની જેમ જ નિયમો લાગુ થશે.
શું છે નવી સિસ્ટમ
ભારતીય રેલ્વેની નવી વ્યવસ્થા હેઠળ બિન-ઉપનગરીય વિભાગો માટે 5 કિમીને બદલે 20 કિમી દૂરથી અને ઉપનગરીય વિભાગ માટે ટિકિટ બુકિંગ માટેનું આ અંતર 2 કિમીથી વધારીને 5 કિમી કરવામાં આવ્યું છે. આ સુવિધા શરૂ થયા બાદ હવે મુસાફરોને સ્ટેશન પર પહોંચ્યા બાદ ટિકિટ માટે લાંબી કતારોમાંથી મુક્તિ મળશે.