માતા-પિતાએ ભણવાનું કહ્યું તો ખોટું લાગી જતાં કર્યો આપઘાત
તમિલનાડુના પેરિયાકુપ્પમથી એક ચોંકવાનારા સમાચાર સામે એવા છે. વાત જાણે એમ છે એક, એક 9 વર્ષની બાળકીએ નજીવી બાબતે આપઘાત કરી લીધો. વિગતો મુજબ પ્રતિક્ષા નામની યુવતીએ જ્યારે તેના માતા-પિતાએ ભણવાનું કહ્યું ત્યારે તેણે આ પગલું ભર્યું હતું. આ નવ વર્ષની બાળકીને તેના પડોશીઓ 'ઇન્સ્ટા ક્વીન' કહેતા હતા.
પેરિયાકુપ્પમ આપઘાત કેસની વિગતો મુજબ પ્રતિક્ષાના પિતા કૃષ્ણમૂર્તિએ દીકરીને તેના સાસરિયાના ઘર પાસે રમતી જોઈ અને તેને ઘરે જઈને અભ્યાસ કરવાનું કહી ઘરની ચાવી આપી. આ પછી તેઓ બાઇકમાં પેટ્રોલ ભરવા માટે નીકળ્યા હતા અને રાત્રે લગભગ 8.15 વાગે પરત ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જોયું કે ઘર અંદરથી બંધ હતું અને તેમની પુત્રીને દરવાજો ખોલવાનું કહ્યું હતું.
આ તરફ દીકરી પ્રતિક્ષાએ જવાબ ન આપ્યો, ત્યારે કૃષ્ણમૂર્તિ ગભરાઈ ગયો અને અને પાછળની બારી તોડીને અંદર જઈ અને જોયું કે, તેની પુત્રી તેના ગળામાં ટુવાલ વડે લટકતી હતી અને રડતી હતી. આ તરફ અફરાતફરી વચ્ચે તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી પણ કમનસીબે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે એક, ગત વર્ષે ડિસેમ્બરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક 10 વર્ષના બાળકે મોબાઈલ પર ગેમ રમવાની ના પાડતા આત્મહત્યા કરી લીધી. માતાની ઠપકો બાદ માસૂમએ આ ઘૃણાસ્પદ પગલું ભર્યું હતું. આ મામલો લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશનના ચિત્વાપુર વિસ્તારનો હતો. પતિના મૃત્યુ પછી કોમલ (40) તેના પુત્ર આરુષ (10 વર્ષ) અને પુત્રી વિદિશા (12 વર્ષ) સાથે તેના પિતાના ઘરે રહે છે. સંબંધીઓના જણાવ્યા અનુસાર પુત્ર આરુષ ઘણા દિવસોથી શાળાએ જતો ન હતો. તે ઘરે આખો દિવસ મોબાઈલ ગેમ રમતો હતો. આ વાત તેને ઘણી વખત સમજાવી પણ હતી. દરમિયાન ઘટનાના દિવસે માતાએ પુત્રને જોરથી માર માર્યો હતો અને તેના હાથમાંથી મોબાઈલ આંચકીને બહાર નીકળી ગઈ હતી. જેના કારણે ગુસ્સે ભરાયેલા બાળકે ફાંસી લગાવી દીધી હતી.