ચા ના સ્ટોલ પર પેપરકપ બંધ કરવાનો AMC કમિશ્નર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને 80 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર થયા છે. જ્યારે વેપારીઓને કરોડોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
ચાના સ્ટોલ પર પેપરકપ બંધનો નિર્ણય
પેપરકપની ફેક્ટરીઓ બંધ હાલતમાં
VTV NEWSએ કર્યુ રિયાલિટી ચેક
80 હજાર શ્રમિકો થયા બેરોજગાર
વેપારીઓને કરોડોનું નુકસાન
અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા ચા ના સ્ટોલ પર પેપરકપ બંધની જાહેરાત બાદ વીટીવી ફેક્ટરી પર પહોંચ્યુ હતુ જ્યાં ફેક્ટરીઓ બંધ હાલતમાં જોવા મળી હતી મહત્વનું છે કે અમદાવાદમાં AMC ના એક જ નિર્ણયથી 80 હજાર મજૂરોની રોજગારી છીનવાઈ છે. ત્યારે વાર્ષિક પેપર કપ બનાવવાનું 1200 કરોડનું ટર્નઓવર હતું. વધુમાં કંપની માલિકોએ જણાવ્યું કે અમે લોન પર 2 વર્ષ પહેલા જ મશીનો વસાવ્યા છે. આ મશીન માત્ર પેપરકપ માટે જ હોય છે હવે અમારે આ મશીનનું શું કરવું. તેમજ પેપરકપ માટે અમને સરકારે જ લોન આપી છે. AMC એ જ શરૂઆતમાં પેપરકપ કાઢ્યા હતા અને અમને ફેક્ટરી શરૂ કરવા કહ્યું હતું. ત્યારે હવે અમારૂ કરોડોનું નુકશાન હવે કોણ ભરશે.
Amc ના નિર્ણય સામે કારખાના માલિકો લાલઘૂમ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અચાનક જ પેપર કપ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદમાં પેપરકપ બનાવતા કંપનીના માલિકોની બેઠક મળી હતી. ત્યારે એએમસીના નિર્ણયના કારણે પેપર કપ બનાવતા કારખાનાના માલિકોની બેઠક મળી હતી. બેઠકમાં એએમસીના નિર્ણય સામે કારખાનાના માલિકો લાલઘૂમ થયા છે. કારખાનાના માલિકો જણાવી રહ્યા છે. સરકારે પેપર કપ બનાવવા અમને પ્રોત્સાહન આપ્યું હતું ત્યારે હવે AMC જ અમને બરબાદ કરી રહી છે.
અમારૂ કરોડોનું નુકશાન હવે કોણ ભરશેઃ કંપની માલિકો
આ બાબતે પેપર કપ બનાવતા કંપની માલિકોની મીટીંગ મળી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદમાં AMC ના એક જ નિર્ણયથી 80 હજાર મજૂરોની રોજગારી છીનવાઈ ગઈ છે. ત્યારે વાર્ષિક પેપર કપ બનાવવાનું 1200 કરોડનું ટર્નઓવર હતું. વધુમાં કંપની માલિકોએ જણાવ્યું કે અમે લોન પર 2 વર્ષ પહેલા જ મશીનો વસાવ્યા છે. આ મશીન માત્ર પેપરકપ માટે જ હોય છે હવે અમારે આ મશીનનું શું કરવું. તેમજ પેપરકપ માટે અમને સરકારે જ લોન આપી છે. AMC એ જ શરૂઆતમાં પેપરકપ કાઢ્યા હતા અને અમને ફેક્ટરી શરૂ કરવા કહ્યું હતું. ત્યારે હવે અમારૂ કરોડોનું નુકશાન હવે કોણ ભરશે.