વડાપ્રધાન મોદીનો 71મો જન્મદિવસ ગુજરાત ભાજપ દ્વારા સેવાકિય પ્રવૃ્ત્તિ અને રામ મંદિરોમાં પૂજા કરીને ઉજવવામાં આવશે. જેમા ખાસ કરીને ગુજરાત ભાજપ દ્વારા 71 બાળકોની ઓપનહાર્ટ સર્જરી કરી તેમને નવું જીવન આપવામાં આવશે.
ગુજરાત ભાજપ ખાસ રીતે કરશે PM મોદીના જન્મદિવસની ઉજવણી
71 બાળકોની કરાવશે ઓપન હાર્ટ સર્જરી
7100 રામ મંદિરમાં થશે પૂજા અર્ચના
આગામી 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જેથી દેશભરમાં તેમના ચાહકો તેમનો જન્મદિવસ મનાવતા હોય છે. ગુજરાત ભાજપ દ્વારા પણ તેમનો જન્મદિવસ ધામધૂમતીા મનાવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
71 બાળકોને મળશે નવું જીવન
જોકે આપને જણાવી દઈએ કે ગુજરાત ભાજપ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરીને આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. જેમા સાભળીને આપને નવાઈ લાગશે કે તેમના જન્મદવિસેજ 71 બાળકોના હ્રદયની સર્જરી કરીને તેમને નવું જીવનદાન આપવામાં આવશે. એટલે 71 બાળકોની ગુજરાત ભાજપ દ્વારા ઓપનહાર્ટ સર્જરી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
7100 રામમંદિરમાં પૂજા અર્ચના
તે સિવાય દેશભરમાં 7100 રામમંદિર ખાતે પૂજા અર્ચના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથેજ રાજ્યમાં જુદા જુદા સ્થળોએ બ્લડ ડોનેશન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિવિધ જગ્યાએ ભજન કિર્તનનું આયોજન કરીને તેમના જન્મદિવસની ઉજવણીનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
71 બાળકોની હાર્ટસર્જરી
આગામી 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી 71 વર્ષના થશે. ગત વર્।ે પણ તેમના જન્મદિવસે ભાજપ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને ફળ વિતરણ, ગરીબ બાળકોને પુસત્કોનું વિતરણ જેવા સેવાકિય કાર્યો કરીને તેમનો જન્મદિવસ મનાવામાં આવ્યો હતો. જોકે આ વર્ષે 71 બાળકોની હાર્ટસર્જરી કરીને તેમને નવું જીવનદાન મળશે જે સૌથી મોટી વાત કહી શકાય.
7100 ગામડાઓમાં રામધૂન
આ વર્ષે PM મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એક અનોખો કાર્યક્રમ કરવાની તૈયારીમાં છે. ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે PM મોદીના જન્મદિવસે ગુજરાતના 7100 ગામડાઓમાં 'રામધૂન કાર્યક્રમ' યોજવામાં આવશે.
સાંજે 7 વાગ્યે ગામડાઓમાં રામધૂનનો સાદ
જેના અંતર્ગત સાંજના 7 વાગ્યે આ ગામડાઓમાં રામધૂનનો સાદ ગુંજશે. વધુમાં તેમણે જણાવ્યું કે દરેક કાર્યકર્તાએ દરેક બૂથ પર ઓછામાં ઓછા 50 લોકોના ફોનમાં NAMO APP ડાઉનલોડ કરવાની રહેશે. આ સાથે જ 10 લોકોએ પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાથી જોડાવા માટે પણ કહેવામાં આવ્યું છે.