ભારતીય સેનાને પ્રથમ વાર દેશમાં બનેલ 40 હજાર બુલેટપ્રુફ જેકેટ પહોંચાડવામાં આવ્યાં છે. જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ઓપરેશન કરી રહેલા ભારતીય જવાનોને આ જેકેટની પ્રથમ ડિલવરી ઉપલ્બધ કરાવામાં આવશે.
રક્ષામંત્રાલયે ખાનગી કંપની સોંપી હતી જવાબદારી
કંપનીએ 40 હજાર તૈયારી કરી સેનાને મોકલ્યાં
AK-47 સહિત અન્ય પિસ્તોલનું ફાયરિંગ બેઅસર
AK-47 ફાયરિંગ પણ બેઅસર
કંપનીના જણાવ્યા અનુસાર આ વર્ષે 36 હજાર જેકેટ પહોંચાડવાની ડીલ હતી પરંતુ 40 હજાર જેકેટ સૈનિકોને મોકલી આપવામાં આવ્યાં છે. દેશમાં બનેલ આ બુલેટપ્રુફ જેકેટ પર હાર્ડ સ્ટીલથી બનેલી ગોળીની અસર પણ જોવા મળશે નહીં. જેમાં AK-47 અને અન્ય હથિયારની અસર પણ જોવા મળશે નહીં.
ગત વર્ષે રક્ષા મંત્રાલયે કરી હતી ડીલ
ગત વર્ષે રક્ષા મંત્રાલેય સેનાને આધુનિક તેમજ ઓછા વજનવાળા બુલેટપ્રુફ જેકેટ માટે MMPPની સાથે 639 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. આ સમજૂતિમાં 1.68 લાખ ઉચ્ચ સ્તરીય જેકેટને લઇને ડીલ કરવામાં આવી છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ હેઠળ સરકારના મેક ઇન ઇન્ડિયા યોજનાને પણ પ્રોત્સાહન મળશે.
શુ ખાસ છે આ જેકેટમાં?
આ જેકેટને બોરૉન કાર્બાઇડ સેરેમિકથી તૈયાર કરવામાં આવ્યાં છે. જે સુરક્ષા માટે સૌથી વધુ ઓછા વજનવાળા અને સારુ મટીરીયલ્સ છે. આ જેકેટ જવાનોના શરીરને 360 ડિગ્રી સુરક્ષા આપશે, જેમાં યુદ્ધ અને એન્ટી ટેરર ઑપરેશનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. મોડ્યૂલર પાર્ટથી બન્યાં હોવાના કારણે આ જેકેટ પહેરવામાં ઘણા આસાન તેમજ સુવિધાનજક પણ છે.
ભારતીય સેનાનું આધુનિકરણ
ભારતીય સેનામાં છેલ્લા ઘણા સમયથી બુલેટપ્રુફ જેકેટ અને આધુનિક હથિયારની માગ કરવામાં આવી રહી છે. આવા સયયમાં જેકેટનો પૂરવઠો સેનાના આધુનિકરણ તરફના પગલા હેઠળ જોવામાં આવી રહ્યો છે.