15 મે ના રોજ જેઠ મહિનાની અમાસે શનિ જયંતિ છે. એવી માન્યતા છે કે આ દિવસે જે પણ શનિદેવની પૂજા કરે છે એની પર એમની કૃપા હોય છે. આમ તો શનિ મંદિરમાં મહિલાઓ દ્વારા પૂજા કરવા પર વિરોધ થાય છે પરંતુ દેશમાં એક એવું મંદિર છે જ્યાં મહિલા અને પુરુષો બંનેની પૂજા કરવામાં કોઇ ભેદભાવ કરવામાં આવતો નથી. અહીંયા માત્ર મહિલાઓ શનિદેવને તેલ સમર્પિત કરતી નથી પરંતુ મંદિરની બાગડોર મહિલા પૂજારીના હાથમાં હોય છે.
આ પ્રાચીમ મંદિર ઇન્દોરમાં જૂના ઇન્દોર સ્થિત છે. કથા અનુસાર મંદિર વાળી જગ્યા પર આજથી 300 વર્ષ પહેલા ત્યાંના ગોપાલદાસ નામના વ્યક્તિને સપનામાં શનિદેવ દર્શન આપીને એક 20 ફીટ ટીલામાં પોતાની પ્રતિમા દટાઇ હોવા માટે કહ્યું હતું. શનિદેવે ગોપાલદાસને ટીલો ખોદીને પ્રતિમા બહાર નિકાળવાનો આદેશ આપ્યો હતો.
ગોપાલદાર પ્રજ્ઞાચક્ષુ હતા આ વાત સપનામાં એમને શનિદેવને કહી ત્યારબાદ શનિદેવે કહ્યું કે પોતાની આંખો ખોલો હવેથી તમે બધું જ જોઇ શકો છો. જ્યારે ગોપાલદાસે પોતાની આંખો ખોલી તો એ બધું જ સ્પષ્ટ જોઇ શકતા હતા.
ત્યારબાદ ગોપાલદાસએ ટીલાનું ખોદકામ કર્યું અને ત્યા શનિદેવની પ્રતિમા નિકળી. ત્યારબાદ એમને એ પ્રતિમાની સ્થાપના કરી અને મંદિરની દેખરેખ કરવા લાગ્યા. ત્યારથી લઇને અત્યાર સુધી ગોપાલદાસના પરિવારના લોકો પૂજારીના રૂપમાં શનિદેવની પૂજા અર્ચના કરવા લાગ્યા.