બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / 3 month old girl given 51 times with hot rod to flaming dam

અંધશ્રદ્ધા / જીવ કેવી રીતે ચાલ્યો હશે..! 3 મહિનાની બાળકીને 51 વખત ગરમ સળિયાથી આપ્યા ધગધગતા ડામ, કહ્યું ન્યુમોનિયા ભગાડી રહ્યો છું

Kishor

Last Updated: 12:03 AM, 4 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં એક ચૌકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ત્રણ મહિનાની બાળકીને ૫૧ વખત ગરમ સળિયાના ડામ આપવામાં આવ્યા હતા. હાલ તો ઘટના બહાર આવતા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે

  • મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં એક ચૌકાવનારી ઘટના
  • ત્રણ મહિનાની બાળકીને અપાયા ૫૧ વખત ડામ
  • સારવાર અર્થે ખસેડયા બાદ બાળકીનું મોત

અંધશ્રદ્ધાના કારણે કેટલાક કિસ્સા સામે આવતા હોય છે જેમાં પરિવારજનોના કારણે પોતાના પ્રિયજનોના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. તેવો એજ એક કિસ્સો મધ્યપ્રદેશના શહડોલમાં સામે આવી છે. જ્યાં ત્રણ મહિનાની બાળકીને ન્યુમોનિયાની સારવારના નામે એક -બે નહી પરંતુ ૫૧ વખત ગરમ સળિયાના ધગધગતા ડામ આપવામાં આવ્યા હતા. અંધશ્રદ્ધાના કારણે આજે ત્રણ મહિનાની બાળકીનું મોત થયું છે.


બાળકીને ૫૧ વખત ગરમ સળિયાના ડામ આપવામાં

જેમાં એક ત્રણ મહિનાની નવજાત બાળકીને ૫૧ વખત ગરમ સળિયાના ડામ આપવામાં આવ્યા હતા. ડામ આપવા પાછળના કારણની વાત કરીએ તો બાળકીને ન્યુમોનિયાથી તકલીફ હતી. જેની સારવાર કરવાને બદલે ન્યુમોનિયાની સારવારના નામે ગરમ સળિયાના ડામ આપ્યા હતા. જેના કારણે બાળકીની સ્થિતિ વધુ નાજૂક થતાં સગા સબંધિઓએ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાના બાળકીનું મૃત્યુ થયુ છે. હાલ તો પોલીસના કહેવા પ્રમાણે મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને જે કોઈ ગુનેગાર હશે તેના વિરૂદ્ધ કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતુ.

ડોક્ટરે શુ કહ્યું ?

બાળકીને ન્યુમોનિયાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ સમયે તેમના પરીવાર જનો અંધશ્રદ્ધાના કારણે હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ કોઈ ઢોંગી પાસે લઈ ગયા હતા. જ્યાં બાળકીને એક-બે-ત્રણ નહીં પરંતુ ટોટલ ૫૧ વાર ગરમ સળિયાના ડામ આપવામાં આવ્યા હતા. જેના કારણે બાળકીની તબિયાત વધુ નાજૂક બની ગઈ હતી.વધુ સારવાર માટે બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરના કહેવા પ્રમાણે બાળકીને ગરમ સળિયાના ડામ આપવાના કારણે તેમની તબિયત વધુ નાજુક થઈ હતી. બાળકીના મગજ સુધી આ ઈન્ફેકશન ફેલાયું હતુ. અને ત્યાર બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ દરમિયાન વધુ તબિયત બગડતા તેમનું મૃત્યુ થયું હતુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ