પંજાબના મોગા જિલ્લામાં કોંગ્રેસના 3 કાર્યકર્તાઓનું અકસ્માતમાં કરપીણ મોત નિપજ્યું. આ મામલે મુખ્યમંત્રી અમરિંદર સિંહ દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે.
અકસ્માતમાં 3 કોંગ્રેસ કાર્યકર્તાના મોત
કાર્યકર્તાઓ સિંદ્ધુના કાર્યક્રમમાં જતા હતા
મુખ્યમંત્રી અમરિંદર સિંહે દુથ વ્યક્ત કર્યું
પંજાબના મોગા જિલ્લામાં એક બસ અકસ્માત સર્જાયો જેમા 3 કોંગ્રેસના કાર્યકરોનું મોત થયું છે. ઉપરાંત આ અકસ્માતમાં 20 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. પોલીસનું કહેવું છે બે બસ આમને સામને ધડાકાભેર અથડાઈ જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બસની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ હતો. જેઓ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિહ સિદ્ધુના તાપજોશી કાર્યક્રમમાં જઈ રહ્યા હતા.
Saddened to learn of the bus accident in Moga dist in which 3 Congress workers have reportedly died & many persons are injured. Have directed DC Moga to immediately provide full medical treatment to all the injured and to send a report to the Govt: Punjab CM Capt Amarinder Singh pic.twitter.com/0pKrRROFiS
પોલીસને જ્યારે અકસ્માતની જાણ થઈ ત્યારે પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોચી હતી. જ્યા તેમણે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતને લઈને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે દુ:ખ વ્યક્ત કર્યું છે.
તાત્કાલીક સારવાર આપવાના આદેશ
સમગ્ર મામલે પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે મોગા જિલ્લામાં જે અકસ્માત થયો તેમા ત્રણ કોંગ્રેસ કાર્યકર્તાના મોત થયા છે. સાથેજ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. જેથી તે વાતનું મને દુ:ખ છે. તેમણે વધુમાં કહ્યું મે આદેશ આપ્યા છે. કે ઘાયલ લોકોને તાત્કાલીક સારવાર મળવી જોઈએ. સાથેજ સમગ્ર મામલે પોલીસ રાજ્ય સરકારને રિપોર્ટ સોપે તેવા પણ આદેશ કર્યા છે.
સિદ્ધુ હાલ ચંદીગઢમાં
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ હાલ ચંદીગઢ પહોચ્યા છે. તેઓ કોંગ્રેસ ભવનમાં અધ્યક્ષનું પદ સંભાળશે. હવે તેઓ રાજ્યમાં વધારે થી વધારે સાંસદ અને અને ધારાસભ્યને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા આજે એક પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમા વરિષ્ઠ અધિકારીઓ પણ શામેલ થશે. સાથેજ નવજોત સિંદ્ધુ પણ આ પાર્ટીમાં શામેલ થવાના છે.