હાલના તબક્કે ૫૦૦થી વધુ SVC કાર્ડ પેસેન્જર્સે ખરીદ્યાં છે. ભવિષ્યમાં ‘વન નેશન, વન કાર્ડ’ સિસ્ટમ અમલી બનશે.
અંદાજે 500થી વધુ SVC કાર્ડ અમલમાં મૂકાયા
સ્ટોર વેલ્યૂ કાર્ડ પર દસ ટકાનું ડિસ્કાઉન્ટ
૨ ઓક્ટોબરથી મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડતી થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. ૩૦ સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેનને અમદાવાદમાં લીલી ઝંડી આપવામાં આવશે. ત્યારબાદ મેટ્રો ટ્રેન તા. ૨ ઓક્ટોબર, ગાંધીજયંતીથી લોકો માટે ઉપલબ્ધ બનશે.PM મોદીના હસ્તે મેટ્રો ટ્રેનના શુભારંભને લઇને મેટ્રો સ્ટેશન પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 30 મીના રોજ વસ્ત્રાલથી થલતેજનો 40 કિમીનો મેટ્રો રૂટ શરૂ થશે. જેમાં 18 સ્ટેશનો અને 6.5 કિમીનો અંડર ગ્રાઉન્ડ રૂટ છે.
મેટ્રો ટ્રેનની મુસાફરી કરવાનું લઘુતમ ભાડું રૂ. પાંચ તેમજ મહત્તમ ભાડું રૂ. ૨૫ હોઈ એકંદરે પેસેન્જર માટે આ સસ્તું પરિવહન સાધન બનશે. જોકે પેસેન્જર એસવીસી (સ્ટોર વેલ્યૂ કાર્ડ) કાર્ડનો ઉપયોગ કરીને તેની મુસાફરીના ભાડામાં દસ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવી શકશે. ઉદાહરણ તરીકે રૂ. ૧૦ના ભાડાની મુસાફરીમાં આ કાર્ડની મદદથી જે તે પેસન્જરને એક રૂપિયાની બચત થતાં તેણે રૂ. નવ જ ભાડું ચૂકવવું પડશે.
૨ ઓક્ટોબરથી મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડતી થશે
મેટ્રો ટ્રેન હવે ગણતરીના દિવસોમાં લાખો અમદાવાદીઓ માટે જાહેર પરિવહન સેવામાં ત્રીજો વિકલ્પ બનશે. વર્ષો સુધી એક સ્થળથી બીજા સ્થળે જવા માટે લોકો માટે એએમટીએસ બસ દિલાસારૂપ હતી. ત્યાર બાદ છેલ્લા દાયકાથી શહેરીજનો માટે બીઆરટીએસ ઉપલબ્ધ થઈ છે અને હવે તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૨થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડતી થવાની છે.
અંદાજે 500થી વધુ SVC કાર્ડ અમલમાં મૂકાયા
આમ તો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે છેલ્લાં બે વર્ષથી મેટ્રો ટ્રેન દોડે છે, પરંતુ તેનો માત્ર ૬.૫ કિમીનો રૂટ હોઈ તે પેસેન્જર્સમાં ખાસ લોકપ્રિય બન્યો નથી અને ભાગ્યે જ કોઈ પેસેન્જર નોકરી-ધંધાના સ્થળે અવરજવર કરવા આ રૂટની ટ્રેનનો ઉપયોગ કરે છે. જોકે પોતાના ઘેર આવતા મહેમાન-પરોણાની આગતા-સ્વાગતા દરમિયાન અમુક લોકો તેમને મેટ્રો ટ્રેનની મુસાફરીની મોજ કરાવે છે. કેટલીક વાર બાળકોની ફરમાઈશને લઈને પણ તેમને મેટ્રો ટ્રેન દેખાડવા લોકો સફર કરે છે. જોકે આ મેટ્રો ટ્રેનમાં પેસેન્જરને મુસાફરીમાં દસ ટકાનું ડિસ્કાઉન્ટ આપવા માટે પ્રારંભથી એસવીસી કાર્ડ અમલમાં મુકાયાં છે. એક અંદાજ મુજબ ૫૦૦થી વધુ આવા કાર્ડ પેસેન્જર્સે ખરીદ્યાં છે.
SVC(સ્ટોર વેલ્યૂ કાર્ડ) કાર્ડધારકને ભાડામાં 10 ટકા ડિસ્કાઉન્ટ
શહેરમાં કુલ ૪૦ કિમી લંબાઈના ઉત્તર-દક્ષિણ કોરિડોર અને પૂર્વ-પશ્ચિમ કોરડિોર પર આગામી તા. ૨ ઓક્ટોબરથી મેટ્રો ટ્રેન દોડવાની હોઈ પેસેન્જર્સને બે વર્ષ જૂની કાર્ડ સિસ્ટમનો લાભ મળશે એટલે કે કાર્ડધારકને તેની મુસાફરીના કુલ ભાડામાં દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. અત્યારે તો મેટ્રો ટ્રેનના પેસેન્જર્સ માટે આ કાર્ડ ઉપયોગી બનશે, પરંતુ ભવિષ્યમાં 'વન નેશન, વન કાર્ડ' સિસ્ટમ દેશભરમાં અમલમાં આવે તેવી ચર્ચા ઊઠી રહી છે. જેમાં સમગ્ર દેશની મેટ્રો ટ્રેન સહિતના જાહેર પરિવહન સેવામાં એક જ કાર્ડને ઉપયોગમાં લેવાનું રહેશે. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન 'વન નેશન, વન કાર્ડ' ક્યારથી સમગ્ર દેશમાં અમલમાં મુકાશે તે સંદર્ભે વિવિધ અટકળો ચાલી રહી છે. તે વખતે એસવીસી કાર્ડ રદ થઈ જશે.
કાર્ડધારકે રૂ. ૫૦ની ડિપોઝિટ ભરવી પડશે
જે તે રેલવે સ્ટેશનનાં ટિકિટ કાઉન્ટર પર જે તે પેસેન્જર સ્ટાફને રૂ. ૫૦ ડિપોઝિટ તરીકે ભરીને કાર્ડ મેળવી શકશે. તેના માટે કોઈ અરજી આપવાની રહેશે નહીં. કાઉન્ટર પર કાર્ડ જમા કરવાથી રૂ. ૫૦ની ડિપોઝિટ પાછી મળે છે. આ કાર્ડને પેસેન્જર રૂ. ૫૦ના ગુણાંકમાં અમર્યાદિત સમય માટે રિચાર્જ કરાવી શકશે. રૂ. ૫૦, ૧૦૦, ૧૫૦, ૨૦૦ - એમ મન ફાવે તેટલી રકમનું કાર્ડધારક રિચાર્જ કરાવી શકશે.
કોઈ પણ પેસેન્જર કાર્ડનો ઉપયોગ કરી શકશે
એક વખત ટિકિટ કાઉન્ટર પરથી કાર્ડ લીધા બાદ પેસેન્જર તેના ઘર-પરિવારના કોઈ સભ્ય કે પરિચિતને ઉપયોગ માટે આપી શકે છે. કાર્ડધારકની જ કાર્ડ મિલકત ન હોઈ તેના ઉપયોગ માટે વિશેષ છૂટ અપાઈ છે.
૧૭.૫ કિમીથી ૨૨.૫ કિમી માટે રૂ. ૨૫ ભાડું
મેટ્રો ટ્રેન માટે જે મહત્ત્વ ભાડું રૂ. ૨૫નું નક્કી કરાયું છે. તે ૧૭.૫ કિમીથી ૨૨.૫ કિમીની મુસાફરી માટે લેવાશે, જ્યારે ૧૨.૫ કિમીથી ૧૭.૫ કિમી માટે રૂ. ૨૦ ભાડા પેટે લેવાશે. પ્રથમ અઢી કિમીના અંતર માટે લઘુતમ ભાડું રૂ. પાંચ છે.