બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / 21 year old kannad television actress died after fat free surgery

ચોંકાવનારુ / 21 વર્ષની હિરોઈને વજન ઘટાડવા કર્યું એવું કે થોડા કલાકમાં જ મોત, પરિવારે લગાવ્યા ગંભીર આરોપ

Khyati

Last Updated: 03:53 PM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વજન ઘટાડવાના ચક્કરમાં ટેલિવિઝનની 21 વર્ષીય મશહૂર અભિનેત્રીએ ગુમાવ્યો જીવ, સર્જરી કરાવ્યાના થોડા સમયમાં જ મોત, પરિવાર ઘેરા આઘાતમાં

  • 21 વર્ષીય કન્નડ અભિનેત્રીનું મોટ
  • ફેટ ફ્રી સર્જરી માટે થઇ હતી દાખલ
  • સર્જરીના થોડા સમય બાદ જ મોત

સુંદર દેખાવવા માટે લોકો શું નથી કરતા ?  પરફેક્ટ દેખાવવાની હોડમાં જીવ પણ જોખમમાં નાંખતા ખચકાતા નથી. ઘણી એવી અભિનેત્રીઓ છે કે કુદરતી જ ખૂબસુરત છે તો ઘણી એવી પણ અભિનેત્રીઓ છે જેણે સર્જરી કરાવવાનું બાકી ન રાખ્યુ હોય. પરંતુ સર્જરીના ચક્કરમાં જ એક અભિનેત્રીએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ અભિનેત્રી છે કન્નડની ચેતના રાજ. જી હા, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્લાસ્ટિક સર્જરી દરમિયાન થયેલી ભૂલને કારણે તેનું મોત થયું. 

21 વર્ષની વયે અવસાન થયું

એવું કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે કન્નડ અભિનેત્રી ચેતના રાજને ફેટ ફ્રી સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સર્જરી પછી અભિનેત્રીને કંઈ સારું લાગતું ન હતું. સાંજ સુધીમાં તેની તબિયત બગડવા લાગી અને તેના ફેફસામાં પાણી ભરાવા લાગ્યું. કન્નડ ટીવી અભિનેત્રી લાંબા સમય સુધી પીડા સહન ન કરી શકી અને 21 વર્ષની વયે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું.

પરિવારે ડોક્ટર પર કર્યો આરોપ

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રીએ તેના માતા પિતાને આ સર્જરી વિશે જાણ કરી ન હતી. તેણે મિત્રોની મદદથી જ હોસ્પિટલમાં દાખલ થઇ ગઇ.  જો કે હવે ચેતનાના મા બાપ ડૉ઼ક્ટર પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે.. અભિનેત્રીના માતા-પિતાનું કહેવું છે કે ડોક્ટરની ભૂલને કારણે તેમની પુત્રીનું અકાળે મોત થયું છે. ચેતનાના પરિવારજનોએ હોસ્પિટલ કમિટી વિરુદ્ધ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 ઘણી સિરિયલોમાં જોવા મળી

મહત્વનું છે કે ચેતના રાજ એ કન્નડ ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી હતી. તેણ  'ગીતા' અને 'દોરેસાની' જેવી દૈનિક ધારાવાહિકમાં સારુ કામ કર્યું હતું. ઘટનાને લઇને પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો છે. ચેતનાના અચાનક નિધનથી ફેન્સ પણ દુઃખી થઇ ગયા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ