સુપ્રીમ કોર્ટે કર્ણાટકના 17 ગેરલાયક ધારાસભ્યોને લઇને ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સ્પીકર દ્વારા ધારાસભ્યોને અયોગ્ય કરારને યથાવત રાખ્યો છે. જો કે સુપ્રીમ કોર્ટ તરફથી ગેરલાયક ધારાસભ્યોને રાહત આપવામાં આવી છે. જેના હેઠળ તેઓ વિધાનસભાની પેટાચૂંટણી લડવાની મંજૂરી આપી છે.
કર્ણાટકના 17 ધારાસભ્યો પર સુપ્રીમનો ચુકાદો
સુપ્રીમે ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યાં
ગેરલાયક ધારાસભ્યો લડી શકશે પેટાચૂંટણી
કર્ણાટકમાં આગામી 5 ડિસેમ્બરે પેટાચૂંટણી
કર્ણાટક વિધાનસભા 15 બેઠક માટે આગામી 5 ડિસેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાશે. જો કે સુપ્રીમમાંથી રાહત મળતાં 17 ગેરલાયક ધારાસભ્યો પેટાચૂંટણી લડી શકશે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે વિધાનસભા સ્પીકર એ નક્કી કરી શકતા નથી કે ધારાસભ્ય ક્યાં સુધી ચૂંટણી લડી નહીં શકે. સુપ્રીમ કોર્ટે વિધાનસભાના સ્પીકર પર ટીપ્પણી કરતાં કહ્યું કે સ્પીકર એક ઓથોરીટી જેવુ કામ કરે છે, જેને લઇને તેની પાસે થોડી જ સત્તા હોય છે.
વધી શકે છે ભાજપની મુશ્કેલી
આગામી પેટાચૂંટણીમાં યેદિયુરપ્પાની સરકારને કોઇપણ રીતે 6 બેઠક પર જીત મેળવી પડશે. જો એમ નહીં થાય તો ભાજપ સરકાર અલ્પમતમાં આવી શકે છે. હાલમાં વિધાનસભામાં બહુમતિ માટે 104 ધારાસભ્યોની જરૂરિયાત છે, જ્યારે ભાજપ પાસે 106 ધારાસભ્યોનું સમર્થન છે. આગામી 15 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી બાદ બહુમતિનો આંકડો વધીને 112 થઇ જશે. ભાજપને સરકાર બચાવવા માટે 6 ધારાસભ્યોના સમર્થનની જરૂરિયાત પડશે.
કર્ણાટક વિધાનસભાની હાલની પરિસ્થિતિ
કુલ બેઠક- 224
ખાલી બેઠક - 17
હાલની વિધાનસભામાં કુલ ધારાસભ્ય - 207
હાલમાં બહુમતિ માટે - 104
ભાજપ+ - 106
કોંગ્રેસ - 66
જેડીએસ - 34
અપક્ષ - 1