ગુજરાતના વિકાસની વાત કરીએ તો કંઈ બાકી બચે તેમ જ નથી. ગુજરાતમાં કરોડોને ખર્ચે, કાંકરિયા કાર્નિવલ, ફલાવર શો, કાઈટ ફેસ્ટિવલ યોજનારી ગુજરાત સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ઉપર જે ઉત્સવો હતા તે તો ખાલી અમદાવાદ પૂરતા જ હતા પરંતુ સમગ્ર ગુજરાતમાં સમિટ અને ઉત્સવોને નામે અબજો રૂપિયાનું આંધણ ઓળી દેવામાં આવે છે પણ ગુજરાતના યુવાનોમાં શિક્ષિત બેકારોનો મોત વહાલું કરી રહ્યા છે જેની સરકારને કંઈ પડી ન હોવાના પણ આક્ષેપ થઈ રહ્યાં છે.
ગુજરાતમાં બેરોજગારીને કારણે 295 યુવાનનો આપઘાત
ભારતમાં 12,936 યુવાનોનો આપઘાત
કુલ 7,735 લોકોએ આપઘાત કર્યો
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)એ બેરોજગારીને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. NCRBના ડેટા અનુસાર વર્ષ 2017-18માં ખેડૂતો કરતાં વધારે બેરોજગારોએ આત્મહત્યા કરી છે. NCRB દ્વારા રજૂ આંકડાઓ અનુસાર બેરોજગારીથી કંટાળીને આત્મહત્યા કરનારાઓની સંખ્યા વર્ષ 2018માં 12,936 છે. આ વિગતો રાજ્યમાં વિકાસની ગાથા કહે છે.
આપઘાતના આંકડામાં વધારો
NCRBના લેટેસ્ટ આંકડાઓ બતાવે છે કે, 2018માં દેશમાં આત્મહત્યાના મામલાઓમાં 3.6 ટકાનો વધારો છે. 2018માં આત્મહત્યાના 1,34,516 કેસ નોંધાયા છે, જ્યારે 2017માં 1, 29,887 લોકોએ આત્મહત્યા કરી છે.
2017માં 12,241 બેરોજગારોએ મોત વહાલુ કર્યુ
2017માં 12,241 બેરોજગાર લોકોને આત્મહત્યા કરી હતી. 2016માં 11,173 બેરોજગારોએ આત્મહત્યા કરી હતી. 2015માં 10,912 બેરોજગારી આત્મહત્યા કરી, જ્યારે આ સમયગાળા દરમિયાન ખેડૂત આત્મહત્યાના 12602 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં આપઘાતના આંકડા
ગુજરાતમાં 2016ના NCRBના આંકજા મુજબ 295 યુવાનોએ બેરોજગારીને કારણે આપઘાત કર્યો છે. ગુજરાતમાં 2016માં કુલ 7,735 લોકોએ આપઘાત કર્યો હતો જેમાંથી 295 યુવાનોએ બોરોજગારીને કારણે આપઘાત કર્યો હતો જ્યારે 225 લોકોને વ્યવસાયમાં તકલીફને કારણે મોતને વહાલુ કર્યુ હતુ. 186 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થવાને કારણે આત્મહત્યા કરી લીધી હતી જ્યારે ગરીબીથી કંટાળીને 111 જણાએ આપઘાત કર્યો હતો. 107 જણા પોતાના પતિ કે, વહાલા વ્યક્તિ પાછળ આત્મહત્યા કરી લીધી હતી. 382 લોકો લગ્નજીવનને કારણે આત્મહત્યા કરી હતી. 1,677 લોકોએ માંદગીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે 1,496 લોકોએ પારિવારીક પરેશાનીથી કંટાળીને આપઘાત કર્યો હતો. ગુજરાતમાં રોજના 21 લોકો આપઘાત કરે છે. વર્ષમાં 1936 ગૃહિણીઓ આત્મહત્યા કરે છે.
અન્ય રાજ્યોમાં બેરોજગારીથી આપઘાતના આંકડા
બેરોજગારો દ્વારા આત્મહત્યાના રજૂ કરેલા સરકારી આંકડાઓથી ઘણા બધા તથ્યો સામે આવી રહ્યાં છે. આ કેટેગરીમાં આત્મહત્યા કરનારાઓ 82 ટકા પુરૂષ છે. આત્મહત્યાના વધારે કેસ કેરળમાં નોંધાયા છે. જેની સંખ્યા 1585, તમિલનાડૂમાં 1579, મહારાષ્ટ્રમાં 1260, કર્ણાટકમાં 1094 અને ઉત્તર પ્રદેશમાં 902 લોકોએ બેરોજગારીને કારણે આપઘાત કર્યો હતો.