એલઓસી પર શુક્રવારે પાકિસ્તાન તરફથી આતંકીઓની ઘૂસણખોરી કરવાના હેતુથી કરવામાં આવેલા સીઝફાયરિંગ ઉલંઘનનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાની સેનાના 11 જવાન ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા છે. જ્યારે કે 16 જવાનો ઘાયલ થયા હોવાનું મનાઈ રહ્યું છે. ભારત તરફથી કરવામાં આવેલા આકરા પ્રહારથી પાકિસ્તાન હચમચી ગયું છે.
ભારતના આકરા પ્રહારથી પાકિસ્તાન હચમચી ગયું
3 આતંકિઓને ભારતીય સેનાના જવાનોએ ઠાર માર્યા હતા
પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલંઘન કરવામાં આવ્યું હતુ
પાકિસ્તાને ભારતીય રાજનાયિકને સમન મોકલ્યું છે. આ ઉપરાંત શનિવારે પાકિસ્તાનના ડીજી અને વિદેશ મંત્રી એમએમ કુરૈશી પ્રેસ કોન્ફરન્સ કરશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ એલઓસીની ઘટનાને લઈને શનિવારે સવારે 10.30 વાગે પ્રસ કોન્ફરન્સ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દિવળી પહેલા પાકિસ્તાન એલઓસીના રસ્તે આતંકવાદીઓની ભારે ઘૂસણખોરી કરાવવાના ઈરાદા સાથે શુક્રવારે ભારતના અનેક સેક્ટરમાં સીઝફાયરનું ઉલંઘન કર્યુ હતુ. આ દરમિયાન ભારતના 5 જવાનો શહીદ થયા હતા. ત્યારે 6 નાગરિકોનું ગોળી વાગવાથી મોત થયું હતુ. ભારત તરફથી 4 સેનાના જવાન અને એક બીએસએફ એસઆઈનો જીવ ગયો હતો. ત્યારે કેટલાક સૈનિકો ઘાયલ થયા હતા.
કેરન, પુંછ અને ઉરી સેક્ટરમાં થયેલા સિઝફાયરિંગનો ભંગનો જવાબ આપતા ભારતીય સેનાએ પાકિસ્તાનના બંકર, લોન્ચ પેડ ઉડાવી દીધા છે. ભારતીય કાર્યવાહીથી પાકિસ્તાન હચમચી ગયું છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની તરફથી આ અઠવાડિયામં ઘૂસણખોરી કરવાનો આ બીજો પ્રયાસ છે. આ પહેલા 7-8 નવેમ્બરે પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલંઘન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા 3 આતંકિઓને ભારતીય સેનાના જવાનોએ ઠાર માર્યા હતા.