વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ દાવો કર્યો છે કે, પરીક્ષા શરૂ થયાના 1.04 મિનિટમાં પેપર સોશિયલ મીડિયા પર વાઇરલ થયું હતું
વનરક્ષકનું પેપર ફૂટ્યું હોવાનો યુવરાજસિંહનો દાવો
પેપર વોટસએપ ગ્રુપમાં વાયરલ થયાનો દાવો
"અમે આધાર પુરાવા સાથે વાત કરીએ છીએ"
ભાવનગરથી જ પેપર વાયરલ થયું હોવાનો દાવો
વનરક્ષકની પરીક્ષામાં પેપર લીક નથી થયું હોવાના શિક્ષણમંત્રી જીતુવાઘાણીના નિવેદન સામે વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહે જાડેજાએ સરકાર સમક્ષ દાવો કર્યો છે.વનરક્ષકનું પેપર ચાલુ પરીક્ષાના 1.04 મિનિટમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.સૌરાષ્ટ્રની અલગ અલગ 25 શાળાઓમાં ચિટિંગના બનાવો બન્યા છે.
વૉટ્સએપ ગ્રુપમાં પરીક્ષાનું પેપર વાયરલ થયું
તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, વૉટ્સએપ ગ્રુપમાં વનરક્ષક પરીક્ષાનું પેપર વાયરલ થયું હતું પણ તેને પેપરલીક ગણવું કે પછી ચીટિંગ ગણવું એ અમે જાહેર જનતા પર મૂકીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાંથી પેપર વાયરલ થયું હતું. અમે આધાર પુરાવા સાથે વાત કરીએ છીએ. આ સાથે પાલીતાણાની કોચિંગ સેન્ટરમાંથી પેપરના ફોટા વાયરલ થયા. આ સાથે રાજ્યની 25 શાળાઓમાં ચિટિંગના બનાવો બન્યા છે. અમે સરકારને ચાલુ પરીક્ષાએ પેપર વાયરલ થયું તેના પૂરાવા અમે આપીએ છીએ.આ સાથે રાજકોટ, ઉનાવા, તળાજાના સેન્ટરો પર ગેરરીતિ થઈ
પૂરાવાના આધારે પરીક્ષામાં ગેરરીતિ થઈ છે તેની તપાસ થાય તે જરૂરી
તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, પૂરાવાના આધારે પરીક્ષામાં ગેરરીતિ થઈ છે તેની તપાસ સરકાર દ્વારા થાય તે જરૂરી છે. તેમણે સરકાર સમક્ષ આકરાં પ્રહાર કરતાં જણાવ્યું કે, પુરાવાઓ ભેગા કરવાનું કામ વિદ્યાર્થીઓ કરશે તો સરકાર શું કરશે. આક્ષેપ કરનાર ગુજરાતનો સામાન્ય નાગરિક છે. વનરક્ષક પરીક્ષાનું પેપર શાળા સંચાલકોની ભાગીદારીથી પેપર લીક કરવામાં આવ્યું